બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / સુરત / 6 members of Solanki family swallow poison together, one member hangs himself: Suicide note reads, 'People behaved as I did...'
Vishal Khamar
Last Updated: 06:59 PM, 28 October 2023
સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને નોંધ પણ મળી આવી હતી. જેમાં પરિવારના સભ્યોના સામૂહિક આઘાતનું કારણ આર્થિક સંકણામણ હોવાનું સામે આવી રહ્યું છે. પરિવારના સભ્ય મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને તેમજ અન્ય સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાને્ પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘટનાાને પગલે DCP સહિતના પોલીસ અધિકારીઓ પણ સામુહિક આપઘાતની ઘટનાને લઇ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. કારણ કે, હસતા ખેલતા સોલંકી પરિવારનો માળો એક રાતમાં વિખેરાઈ ગયો છે. સોલંકી પરિવારમાં રહેતા મનીષ સોલંકી, તેમના પત્ની રીટા સોલંકી, દીકરી કાવ્યા સોલંકી, બીજી દીકરી દીક્ષા સોલંકી, દીકરો કુશલ સોલંકી, પિતા કનુભાઈ સોલંકી અને માતા શોભનાબેન સોલંકી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વની વાત છે કે મનીષ ઉર્ફે શાંતિલાલ સોલંકી ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સોલંકી પરિવારના આપઘાતની ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સુરત માટે એક આ દુઃખદ અને હચ મચાવનારી ઘટના કહી શકાય.
સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈના નામનો ઉલ્લેખ નથી: CP
સુરતમાં સોલંકી પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારે આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ સુરત પોલીસ કમિશ્નર દ્વારા પણ ઘટનાં સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. આ મામલે સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, આ મામલે તમામ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે. સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈના નામનો ઉલ્લેખ નથી. મૃતક મનીષ સોલંકી સારા નાગરિક તરીકેની છાપ ધરાવતા હતા. તમામ એંગલથી ઘટનાની તપાસ કરવામાં આવશે. સ્યુસાઈટ નોટમાં મેં લોકો સાથે જેવું વર્તન કર્યું છે તેવું વર્તન લોકોએ મારી સાથે કર્યું નથી. સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ એજન્સીઓને તપાસનાં આદેશ અપાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir