બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 50 lakh rupees fraud with Surat family
Last Updated: 04:10 PM, 25 February 2024
વલસાડ ખાતે રહેતા ઉર્વીશભાઈ પ્રકાશભાઈ દેસાઈને ગઠીયાઓએ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી બોલાવ્યા હતા. ત્યારે ઉર્વીશભાઈ દેસાઈ સોનીની ગીની અને સસ્તો સોનાનો હાર ખરીદવાની લ્હાયમાં પલસાણા તાલુકાના કારેલી ગામે પહોંચ્યા હતા. જ્યાં એક ટોળકીએ ખોદકામ દરમ્યાન મળેલ સોનું આપવાની ગઠીયાએ લાલચ આપી હતી. જે સોનાના દાગીનાં લેવા માટે પરિવારને બોલાવ્યો હતો. જે બાદ પરિવાર સાથે 50 લાખ રૂપિયા લઈ નકલી લાગીના પધરાવી દીધા હતા.
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી
ઉર્વીશભાઈ દેસાઈ દ્વારા સોનાની ચકાસણી કરતા ઠગ ટોળકી ડુપ્લિકેટ સોનું પધરાવ્યું હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા ઠગ ટોળકીનાં પ્રહલાદ ઝંડાવાળા વિરૂદ્ધ પલસાણા પોલીસ મથકે ગુનો નોંધી પ્રહલાદ ઝંડાવાળાની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ બરાબર જે ઠેકાણે દ્વારકા ડૂબી હતી તે ઠેકાણે ઉતર્યાં PM મોદી, દ્વારકાધીશને અર્પણ કરી પ્યારી ચીજ
પોલીસ દ્વારા મુખ્યસુત્રધારને પકડવાની તજવીજ હાથ ધરી
પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પ્રદલાદ ઝંડાવાળાની પૂછપરછ કરતા તેણે આ સમગ્ર છેંતપીંડી પાછળ વડોદરાનાં કલ્યાણ નગર ખાતે રહેતો પ્રભુ ગુલશનભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા મુખ્ય આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.