બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 5 supreme court judges corona positive

મહામારી / સુપ્રીમ કોર્ટના પાંચ જજ કોરોના પોઝિટીવ, સજાતિય લગ્ન કેસની સુનાવણી કરનાર જજ પણ સામેલ

Hiralal

Last Updated: 09:45 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટના પાંચ જજ કોરોના પોઝિટીવ નીકળતાં હવે સજાતિય લગ્ન કેસની સુનાવણી નહીં થાય.

  • સુપ્રીમ કોર્ટે કોરોનાથી બચવા ભર્યાં બધા પગલાં
  • તોય ઘુસી ગયો કોરોના
  • પાંચ જજ નીકળ્યાં કોરોના પોઝિટીવ
  • સુપ્રીમે થોડા સમય પહેલા પરિસરમાં માસ્ક બનાવ્યું હતું ફરજિયાત  

સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા તેના પરિસરમાં માસ્ક ફરજિયાત બનાવ્યું હતું. જરુરી પગલાં લેવા છતાં પણ સુપ્રીમ તેના પરિસરમાં કોરોનાની એન્ટ્રી રોકી શકી નહોતી. 

હવે સોમવારે સજાતિય લગ્નની સુનાવણી નહીં થાય 
હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજ પણ કોવિડથી સંક્રમિત હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોવિડથી સંક્રમિત થયેલા જજોમાંથી એક ગે મેરેજ કેસની સુનાવણી માટે બનાવવામાં આવેલી બંધારણીય પીઠનો ભાગ છે. હાલમાં સુપ્રીમની પાંચ સભ્યોવાળી બંધારણીય પીઠ સજાતિય લગ્નને લઈને સુનાવણી કરી રહી છે પરંતુ હવે સોમવારે સુનાવણી નહીં થાય. 

કયા કયા જજ થયા કોરોના સંક્રમિત 
સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હાલ કોવિડ-19થી પીડિત છે, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત એક સપ્તાહ પહેલા કોરોનાથી સાજા થયા હતા. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ સમલૈંગિક લગ્ન કેસમાં સંવિધાન પીઠનો ભાગ છે. 

ચીફ જસ્ટીસની સીધી નજર 
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ સૂત્રોએ કહ્યું કે સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ જસ્ટીસના સંપર્કમાં છે. હાલની પરિસ્થિતિને જોતા તેમણે એવો પણ નિર્ણય કર્યો છે કે, સુપ્રીમ કોર્ટની કામગીરીને કોઇ પણ સંજોગોમાં અસર ન થવી જોઇએ. આ માટે રજિસ્ટ્રીને સૂચના પણ આપવામાં આવી છે. વળી, કેટલીક બેન્ચો પણ બદલવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ