બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / 5 supreme court judges corona positive
Hiralal
Last Updated: 09:45 PM, 22 April 2023
સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા તેના પરિસરમાં માસ્ક ફરજિયાત બનાવ્યું હતું. જરુરી પગલાં લેવા છતાં પણ સુપ્રીમ તેના પરિસરમાં કોરોનાની એન્ટ્રી રોકી શકી નહોતી.
હવે સોમવારે સજાતિય લગ્નની સુનાવણી નહીં થાય
હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજ પણ કોવિડથી સંક્રમિત હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોવિડથી સંક્રમિત થયેલા જજોમાંથી એક ગે મેરેજ કેસની સુનાવણી માટે બનાવવામાં આવેલી બંધારણીય પીઠનો ભાગ છે. હાલમાં સુપ્રીમની પાંચ સભ્યોવાળી બંધારણીય પીઠ સજાતિય લગ્નને લઈને સુનાવણી કરી રહી છે પરંતુ હવે સોમવારે સુનાવણી નહીં થાય.
કયા કયા જજ થયા કોરોના સંક્રમિત
સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હાલ કોવિડ-19થી પીડિત છે, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત એક સપ્તાહ પહેલા કોરોનાથી સાજા થયા હતા. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ સમલૈંગિક લગ્ન કેસમાં સંવિધાન પીઠનો ભાગ છે.
ચીફ જસ્ટીસની સીધી નજર
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ સૂત્રોએ કહ્યું કે સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ જસ્ટીસના સંપર્કમાં છે. હાલની પરિસ્થિતિને જોતા તેમણે એવો પણ નિર્ણય કર્યો છે કે, સુપ્રીમ કોર્ટની કામગીરીને કોઇ પણ સંજોગોમાં અસર ન થવી જોઇએ. આ માટે રજિસ્ટ્રીને સૂચના પણ આપવામાં આવી છે. વળી, કેટલીક બેન્ચો પણ બદલવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh