બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 08:29 PM, 26 December 2023
દ્રઢ ઇચ્છાશક્તિ અને તેનાથી મળતી સફળતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ જોવું હોય તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞથી પ્રેરણા લઇ શકાય. સરકારી હોસ્પિટલ અને તેની કામગીરી પ્રત્યે સામાન્ય વ્યક્તિઓ પર જે નકારાત્મક અમીટ છાપ હોય છે તેને દૂર કરીને આજે ફક્ત ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય. વાત છે વર્ષ 2020ની જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું હતુ, બીજી લહેરની શરૂઆત થવાની હતી આ પરિસ્થિતીઓની વચ્ચે 27 મી ડિસેમ્બર 2020ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું હતુ પ્રથમ અંગદાન.
અંગદાન : સેવા,સહકાર અને સજીવનના ત્રણ વર્ષ@civilhospamd અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ
— civilhospitalamdavad (@civilhospamd) December 26, 2023
27 મી ડિસેમ્બર 2020 એ થયું હતુ પ્રથમ અંગદાન@irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @RemyaMohanIAS @GujHFWDept @mdnhmgujarat @joshirakesh2016 pic.twitter.com/hrcyWygY3I
ફેબ્રુઆરી અંત સુધીમાં લગભગ 5 થી 6 જેટલા અંગદાન થયા
રાજ્ય સરકારના SOTTO(State Organ Tissue And Transplant Organisation) ના સહયોગ અને સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની ટીમના સહિયારા પ્રયાસોથી અંગદાનની શરૂઆત થઇ. ફેબ્રુઆરી અંત સુધીમાં લગભગ 5 થી 6 જેટલા અંગદાન થયા હતા. પછી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ. કોરોનાની આ બીજી લહેર વચ્ચે પણ અંગદાનનું સેવાકાર્ય અડિખમ રીતે ચાલતું જ રહ્યું છે.
કોરોનાની વિષમ પરિસ્થિતીઓ વચ્ચે શરૂ થયેલ અંગદાનના સેવાયજ્ઞથી ત્રણ વર્ષમાં 426 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું
— civilhospitalamdavad (@civilhospamd) December 26, 2023
ત્રણ વર્ષમાં 139 અંગદાતાઓના અંગદાનથી 443 અંગો મળ્યા : જેમાં 105 પુરુષ અને 34 સ્ત્રી બ્રેઇનડેડ અંગદાતાઓ@irushikeshpatel @joshirakesh2016 pic.twitter.com/dVxsMa2pJu
ત્રણ વર્ષમાં કુલ 169 વ્યક્તિઓ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા
આજે અંગદાનના આરંભને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષમાં કુલ 169 વ્યક્તિઓ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. જેમાં 139 બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી (અત્રે નોંધનીય છે કે, અંગદાન એ ઇચ્છાશક્તિ થી થતુ દાન છે જે માટે ક્યારે કોઇ તબીબ કે વ્યક્તિ કે સરકાર દ્વારા ફરજ પાડવામાં આવતી નથી). 139 બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં 443 જેટલા અંગો મળ્યા જેને 426 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેમાં કોઇક હ્રદય, કિડની , લીવર ના અંગોની તકલીફના કારણે લાંબા સમયથી પીડામાંથી પસાર થઇ રહ્યાં હતા તેઓને નવજીવન મળ્યું.
244 કિડની, 119 લીવર, 39 હ્રદય, 9 સ્વાદુપિંડ,24 ફેફસા, 6 હાથ અને 2 નાના આંતરડાનું દાન મળ્યું
— civilhospitalamdavad (@civilhospamd) December 26, 2023
15 થી 40 વર્ષના 81 બ્રેઇનડેડ, 40 થી 60ની વયના 47 તેમજ 11 જેટલા વયોવૃધ્ધ બ્રેઇનડેડ અંગદાતાઓનું દાન મળ્યું
હોસ્પિટલના અંગદાનનો સેવાયજ્ઞ અવિરત ચાલતો રહેશે @joshirakesh2016 @irushikeshpatel pic.twitter.com/s83qlmIHKP
અંગદાતાઓ દ્વારા અન્ય પરિવારોનાં જીવનમાં અજવાળું કર્યું
આ 426 પરિવારોના જીવનમાં નવીન ઉજાસ પાથરવા, સમગ્ર પરિવારમાં સુખનો સુરજ ઉગાવવાનું ઉમદા કાર્ય આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ જરૂરિયાતમંદોને નવજીવન આપીને અમર થઇ ગયા છે. સિવિલ હોસ્પિટલ તંત્ર એ પણ આ તમામ અમર લોકોના સેવાકાર્યને બિરદાવવા અને તેઓને ખરા અર્થમાં અમર કરીને તેમની સ્મૃતિમાં હોસ્પિટલ પરિસરમાં જ “અમર કક્ષ”નું નિર્માણ કર્યા. જે વર્ષો સુધી અસંખ્ય લોકોને અંગદાન માટે પ્રેરણા આપતું રહેશે.
ગ્રીન કોરિડોર મારફતે અંગોને સત્વરે અન્યત્ર ગણતરીની મિનિટોમાં પહોંચાડવામાં આવ્યા
સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓના અંગદાનમાં મળેલા 426 અંગોમાં 244 કિડની, 119 લીવર, 39 હ્રદય, 9 સ્વાદુપિંડ,24 ફેફસા, 6 હાથ અને 2 નાના આંતરડાનું દાન મળ્યું.વધુમાં 104 જેટલી કોર્નિયા એટલે કે આંખનું પણ દાન આમાં મળ્યું છે. અંગદાન થી જીવનદાનના આ ધ્યેયમંત્રને સિધ્ધ કરવા માટે 44 વખત ગ્રીનકોરિડોરનું નિર્માણ કરીને અંગોને સત્વરે એક છેડાથી બીજે છેડે ગણતરીની મીનિટોમાં પહોંચાડવામાં આવ્યા. આ 139 અંગદાતાઓમાં 105 પુરુષ અને 34 સ્ત્રી બ્રેઇનડેડ વ્યક્તિઓ હતા. જેમાં પણ 15 થી 40 વર્ષના 81 બ્રેઇનડેડ, 40 થી 60 ની વયના 47 તેમજ 11 જેટલા વયોવૃધ્ધ બ્રેઇનડેડ અંગદાતાઓનું દાન મળ્યું.
અંગદાનનાં સેવા કાર્યની નોંધ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશમાં લેવાઈ
139 બ્રેઇનડેડ અંગદાતાઓમાં 54 અમદાવાદથી, 12 ગાંધીનગર, 9 ખેડા, 4 રાજકોટ, 4 સુરેન્દ્રનગર , 4 સાબરકાંઠા, 4 સાબરકાંઠા, 6 ભાવનગર, 5 મહેસાણા. 5 જામનગર,3 દ્વારકા, 3 મહિસાગર, 2 અરવલ્લી, 2 અમરેલી,2 મોરબી,2 પોરબંદર,2 કચ્છ,2 પંચમહાલ, 1 પાટણ,1 દાહોદ,1 બોટાદ, 1 બનાસકાંઠા, 1 ગીરસોમનાથ અને એક ભરૂચ ના રહેવાસીનો સમાવેશ થાય છે. તેમજ રાજસ્થાનના 5 , મધ્યપ્રદેશના એક, ઉત્તરપ્રદેશના 3 , બિહારના 2 અને નેપાળના એક બ્રેઇનડેડ અંગદાતાનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાકાર્યની નોંધ રાજ્ય ઉપરાંત સમગ્ર દેશમાં પણ લેવામાં આવી અને અનેક વખત બહુમાન પણ થયું.
આરોગ્ય મંત્રીનાં હસ્તે અમદાવાદ સિવિલને એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે દિલ્હી ખાતે NOTTO(National Organ Tissue And Transplant Organisation) અને મુંબઈ ખાતે ROTTO (Regional Organ Tissue And Transplant Organisation) દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલને અંગદાન માટે Best OTRH ( Organ and Tissue Retrieval Hospital),Best Brain Stem Death Committee, Best Transplant Coordinatorનો એવોર્ડ પ્રાપ્ત થયો.
સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડન્ટ દ્વારા અંગદાતા પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ 139 અંગદાતા પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામનો આભાર માન્યો હતો. તેમણે વિશેષમાં જણાવ્યું હતુ કે, અમારી ટીમ અથાગ પરિશ્રમથી અંગોને રીટ્રાઇવ કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું કાર્ય કરી શકે છે. પરંતુ તેનાથી પહેલા જરૂરી છે. અંગદાન માટે સંમતિ આપવી. અંગદાન એ સતકાર્ય છે, દાન છે જે ઇચ્છાશક્તિ પ્રમાણે જ થાય છે. અમારી ટીમને જેમ જેમ બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગથી અંગદાનની સંમતિ મળતી રહેશે તેમ જીવ થી જીવ આપવાનો અમારો સેવાયજ્ઞ અવિરત પણે ચાલતો રહેશે. આ ક્ષણે ડૉ. જોષીએ તમામ અંગદાતા પરિવારજનો, સરકાર, SOTTO ની સમગ્ર ટીમ, સેવાભાવી સંસ્થાઓ, મીડિયા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh