બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 11:08 PM, 2 June 2023
રાજ્યમાં એકબાદ એક ચોંકાવનારી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. નવસારીમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.જ્યારે અરવલ્લીમાં પણ યુવતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંઘીને આપઘાત કર્યો છે.તે સાથે જ રાજકોટમાં પોતાની માતા એ પોતાના 2 બાળકોની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. તેવી રીતે દાહોદમાં પણ સગા બાપે પોતાના પુત્રની અને પુત્રીના હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિનીએ ઓઢણીનો ગળેફાંસો આયખું ટૂંકાવી લીધું.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવસારી ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષની ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી. જેમાં માતાએ ઠપકો આપતા આવેશમાં આવી વિદ્યાર્થિનીએ ઓઢણીનો ગળેફાંસો આયખું ટૂંકાવી લીધું હતું આથી પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. વધુમાં ચીખલી પોલીસે સમગ્ર મામલે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં 2 બાળકોની હત્યા કરી માતાનો આપઘાત
બીજી તરફ રાજકોટમાં જનેતા એજ 2 બાળકોની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બહાર આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બે બાળકોની હત્યા બાદ પોતે માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એસ.ટી.વર્કશોપ પાછળ આવેલ આંબેડકર નગરની આ ચકચારી ઘટનામાં માતા મનીષાબેન પરમારે 5 વર્ષ અને 6 માસની પુત્રીની હત્યા કરી પોતે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જેની પ્રાથમિક તપાસમાં પતિ સાથે બોલાચાલી થતા અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.
બીજી તરફ માલપુરનાં હૅલોદર ગામે ઝાડ સાથે ગળામાં દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનો મૃતદેહ મળતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જન્મ્યા છે. વધુમાં સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે.
.
દાહોદના ઝાલોદમાં પિતાએ જ કરી પુત્ર અને પુત્રીની હત્યા
આ ઉપરાંત દાહોદના ઝાલોદમાં પિતાએ જ પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખતા હાહાકાર મચી જવા પામ્યો છે. એટલું જ નહીં બન્નેની હત્યા નિપજાવી પિતાએ પણ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. આ પ્રકરણમાં આસપાસના લોકોએ સમયસર જોઈ લેતા પિતાનો બચાવ થયો હતો. 12 વર્ષીય પુત્રી અને 6 વર્ષના પુત્રની હત્યા કરતા પોલીસે આરોપી પિતાની પૂછપરછ હાથ ધરી હતી. જેમા કૌટુંબિક વિવાદને કારણે હત્યા કરી પોતે પણ મોત વ્હાલું કરી લેવાનો ખુલાસો થયો છે. જેની તપાસમાં એવું પણ સામે આવ્યું કે પત્ની વારંવાર ઘર છોડીને જતી રહેતી હતી. જેની આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ આ અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh