બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / 3 deaths in 3 suicide incidents in Aravalli and Rajkot

છેલ્લો રસ્તો કેમ? / જિંદગી અમૂલ્ય છે! અરવલ્લી અને રાજકોટમાં આપઘાતના 3 બનાવોમાં 3 મોત, તો ઝાલોદમાં સગા બાપે કરી સંતાનોની હત્યા

Kishor

Last Updated: 11:08 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એકબાદ એક ચોંકાવનારી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં આપઘાતનો અને હત્યાના કિસ્સા સામે આવતા હાહાકાર મચી ગયો છે.

  • નવસારીમાં ધોરણ 3ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • રાજકોટમાં માતાએ કરી પોતાના 2 બાળકોની હત્યા
  • સગા બાપે પોતાના પુત્ર અને પુત્રીની કરી હત્યા  

 રાજ્યમાં એકબાદ એક ચોંકાવનારી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. નવસારીમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.જ્યારે અરવલ્લીમાં પણ યુવતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંઘીને આપઘાત કર્યો છે.તે સાથે જ રાજકોટમાં પોતાની માતા એ પોતાના 2 બાળકોની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. તેવી રીતે દાહોદમાં પણ સગા બાપે પોતાના પુત્રની અને પુત્રીના હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

3 deaths in 3 suicide incidents in Aravalli and Rajkot

વિદ્યાર્થિનીએ ઓઢણીનો ગળેફાંસો આયખું ટૂંકાવી લીધું.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવસારી ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષની ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી. જેમાં માતાએ ઠપકો આપતા આવેશમાં આવી વિદ્યાર્થિનીએ ઓઢણીનો ગળેફાંસો આયખું ટૂંકાવી લીધું હતું આથી પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. વધુમાં ચીખલી પોલીસે સમગ્ર મામલે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

3 deaths in 3 suicide incidents in Aravalli and Rajkot

રાજકોટમાં 2 બાળકોની હત્યા કરી માતાનો આપઘાત

બીજી તરફ રાજકોટમાં જનેતા એજ 2 બાળકોની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બહાર આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બે બાળકોની હત્યા બાદ પોતે માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એસ.ટી.વર્કશોપ પાછળ આવેલ આંબેડકર નગરની આ ચકચારી ઘટનામાં માતા મનીષાબેન પરમારે 5 વર્ષ અને 6 માસની પુત્રીની હત્યા કરી પોતે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જેની પ્રાથમિક તપાસમાં પતિ સાથે બોલાચાલી થતા અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.


બીજી તરફ માલપુરનાં હૅલોદર ગામે ઝાડ સાથે ગળામાં દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનો મૃતદેહ મળતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જન્મ્યા છે. વધુમાં સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે.

.

દાહોદના ઝાલોદમાં પિતાએ જ કરી પુત્ર અને પુત્રીની હત્યા
આ ઉપરાંત દાહોદના ઝાલોદમાં પિતાએ જ પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખતા હાહાકાર મચી જવા પામ્યો છે. એટલું જ નહીં બન્નેની હત્યા નિપજાવી પિતાએ પણ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. આ પ્રકરણમાં આસપાસના લોકોએ સમયસર જોઈ લેતા પિતાનો બચાવ થયો હતો. 12 વર્ષીય પુત્રી અને 6 વર્ષના પુત્રની હત્યા કરતા પોલીસે આરોપી પિતાની પૂછપરછ હાથ ધરી હતી. જેમા કૌટુંબિક વિવાદને કારણે હત્યા કરી પોતે પણ મોત વ્હાલું કરી લેવાનો ખુલાસો થયો છે. જેની તપાસમાં એવું પણ સામે આવ્યું કે પત્ની વારંવાર ઘર છોડીને જતી રહેતી હતી. જેની આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ આ અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ