બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Hiralal
Last Updated: 07:59 PM, 2 March 2023
તામિલનાડુના સલેમ જિલ્લામાં બનેલી એક ઘટનામાં 21 વર્ષીય એક વ્યક્તિનું ગળામાં બ્રેડનો ટુકડો ફસાઇ જતાં ગૂંગળામણને કારણે મોત થયું હતું. આ યુવકે ખાવાનું ખાતી વખતે રોટલીનો મોટો ટુકડો લીધો અને પછી તે શ્વાસ ન લઈ શક્યો, જેના કારણે તેનું મોત થઈ ગયું. રોટલી ગળામાં ફસાઈ જતા જે યુવાન મોતને ભેટ્યો છે તે બોડીબિલ્ડર હતો.
ક્યાં બની ઘટના
21 વર્ષીય બોડીબિલ્ડર સ્ટેટ લેવલની બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનો હતો જે માટે તે વર્કઆઉટ સેશનમાં કરી રહ્યો હતો. અને આ દરમિયાન તેણે ચા નાસ્તા માટે થોડો બ્રેક લીધો હતો અને આ દરમિયાન તેણે બ્રેડનો એક મોટો ટુકડો મોં માં મૂક્યો હતો જેને કારણે તેનો શ્વાસ રુધાંઈ ગયો હતો અને તેનું મોત થયુ હતું.
જમતી વખતે જરા પણ ઉતાવળ નહીં
જ્યારે ગૂંગળામણ થાય છે, ત્યારે ગળા અથવા શ્વસન માર્ગમાં અવરોધ આવે છે. એટલા માટે જ ખાવાનું ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઝડપથી ખાવાનું ન ખાશો, ધીમે-ધીમે અને આરામથી જમશો. સાથે જ ધ્યાન રાખો કે મોંમાં વધારે પડતો ખોરાક ન ખાવો, તેનાથી ગળવામાં મુશ્કેલી આવી શકે છે.
ગૂંગળામણ થાય તો શું કરવું?
જ્યારે તમારી આસપાસની વ્યક્તિ, ખાસ કરીને જ્યારે તમે સાથે જમતા હોવ ત્યારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ત્યારે તમારે તે સમયે થોડી હોશિયારીથી કામ કરવાની જરૂર છે અને સમજવું જોઈએ કે તે ખોરાકને કારણે ગૂંગળામણ અનુભવે છે. વ્યક્તિ શ્વાસ માટે હાંફી શકે છે, થોડી સેકંડ પછી સ્થિર થઈ શકે છે, શ્વાસ લેવામાં અવાજ કરશે અને પીળો પડી શકે છે. ગૂંગળામણને કારણે તે બોલી શકતો નથી, ઉધરસ કરી શકતો નથી કે શ્વાસ લઈ શકતો નથી. જો તમે કોઈને બેભાન અવસ્થામાં પડેલા જોશો તો ગૂંગળામણ થવાની શક્યતા પણ ઊભી થઈ શકે છે.
આહારને યોગ્ય રીતે ન ચાવવાથી ગૂંગળામણ થઈ શકે છે
જમતી વખતે ભોજનને સારી રીતે પચાવીને ખાવું જોઈએ. સારી રીતે ન ચાવવાથી ભોજનના ટુકડા શ્વાસનળીને અવરોધી શકે છે જેને કારણે ગૂંગળામણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir