બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dhruv
Last Updated: 12:01 PM, 27 May 2022
સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ કે જેને ક્યારેય કોઇ નહીં ભૂલી શકે. આ ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાથીઓના ભોગ લેવાયા હતા. પરંતુ તેમાંથી 14 વિદ્યાર્થીઓને પોતાના જીવને જોખમે બચાવનાર રિઅલ લાઇફનો હીરો જતિન નાકરાણી કે જે છેલ્લાં 3 વર્ષથી પથારીવશ છે. 14 વિદ્યાર્થીઓને બચાવી પોતે પણ આગથી બચવા ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેથી તેના માથામાં ઈજા થતા તે કોમામાં સરી પડ્યો હતો. જો કે, હાલમાં તે પથારીવશ છે. ત્યારે તશક્ષિલા અગ્નિકાંડના આ રિઅલ દેવદૂતની મદદ કરવા VTV NEWSએ મહાઅભિયાન ઉપાડતા ખૂણે-ખૂણેથી મદદનો વરસાદ થઇ રહ્યો છે. જેમાં જતિન નાકરાણીને માત્ર 2 જ દિવસની અંદર લોકોએ 20 લાખની મદદ કરતા માનવતાની મહેક મહેંકી ઉઠી છે.
એક જ દિવસમાં જતિન નાકરાણીને 20 લાખ રૂપિયાની મદદ મળી
જો કે, તમને જણાવી દઇએ કે, જતિન નાકરાણીને હજુ પણ મદદની જરૂર છે. કારણ કે, તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી અને હજુ તો માંડ-માંડ ધંધો સેટ થયો હતો ત્યાં તો 24 મે 2019ના દિવસે તેની દુકાન આગમાં ખાક થઈ ગઈ હતી. તો બીજી બાજુ જતિનની સારવાર કરાવવા માટે પણ તેના પરિવાર પાસે રૂપિયા નથી. ત્યારે આજે જતિનનો આ પરિવાર બેંકનું દેવું ચૂકવવા પાઇપાઇ માટે તરસી રહ્યો છે.
ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરો. VTVની ઝુંબેશમાં તમે પણ મદદ માટે જોડાઓ.
જતિન પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું
તક્ષશિલા અગ્નિકાંડનો હીરો કહેવાતો જતિન કે જેણે તક્ષશિલાના બીજા માળે ફેશન ડિઝાઈનનો વેપાર શરૂ કરવા માટે 35 લાખની લોન લીધી હતી અને હજુ તો માંડ-માંડ ધંધો સેટ થયો હતો ત્યાં તો 24 મે 2019ના દિવસે તેની દુકાન આગમાં ખાક થઈ ગઈ હતી. બીજી બાજુ વિદ્યાર્થીઓને બચાવવા જતા પણ તેની જિંદગી પણ નર્ક સમાન બની ગઈ. પરિવારનો આધારસ્તંભ કહેવાતો જતિન જ પથારીવશ હોવાથી લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે ઘર સીલ મારી દીધું હતું. જેથી પરિવાર રસ્તા પર આવી ગયો હતો. પરંતુ ઉચ્ચ નેતાઓએ મધ્યસ્થી કરતાં 24 કલાક પછી બેંકે રિકવરી પ્રોમિસ લખાવી સીલ ખોલી આપ્યું હતું અને આજે દીકરાની સારવારની જવાબદારી નિવૃત્ત પિતા પર આવી છે. જેના કારણે જતિનનો પરિવાર પાઈપાઈ માટે તરસી રહ્યો છે.
બેંકે આપ્યા છે ઘર જપ્તીના આદેશ, જતીનની સારવાર પાછળ થયો છે 40 લાખ જેટલો ખર્ચ
અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ખુદ ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે. ત્યારે ત્રણ વર્ષથી ઘરે સુમસામ બેસેલ તક્ષશિલા અગ્નિકાંડનો હીરો બેન્ક લોનના હપ્તા નહીં ભરી શકતા બેંકે ઘર જપ્તીના આદેશ આપ્યા છે. અનેક બાળકોની જિંદગી બચાવનાર જતિન નાકરાણી પાછળ અત્યાર સુધીમાં જતીનની સારવાર માટે 40 લાખ જેટલો ખર્ચ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh