બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / 2 fishermen in Andhra Pradesh killed in Gulab storm, one missing

કુદરતી પ્રકોપ / વિકરાળ બની 'ગુલાબી' આફત, વાવાઝોડાને કારણે આંધ્રમાં બે માછીમારોના મોત, જાણો આગાહી

Hiralal

Last Updated: 09:44 PM, 26 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ગુલાબ વાવાઝોડાએ કેર વર્તાવવાનું શરુ કર્યું છે. બંગાળની ખાડીમાંથી ઉઠેલું ગુલાબ વાવાઝોડાએ અત્યાર સુધી 2 માછીમારોનો ભોગ લીધો છે.

  • આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ગુલાબ વાવાઝોડાનો કેર
  • આંધ્રમાં વાવાઝોડાને કારણે બે માછીમારોના મોત
  • રવિવારે સાંજે 6 વાગ્યે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના રહેવાશી બે માછીમારો ભારે પવનને કારણે દરિયામાં  તણાઈ ગયા હતા જેને કારણે તેમના મોત થયા હતા. 

શ્રીકાકુલમ ખાતે 5 માછીમારો દરિયામાં પડ્યા,

ચક્રવાતી તોફાન રવિવારે સાંજે 6 વાગ્યે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ વિસ્તારોમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે એલર્ટ પણ જારી કર્યું છે.

માછીમારોને બંગાળની ખાડીમાં ન જવા સૂચના 

દરિયાની સ્થિતી ખરાબ રહેવાને કારણે બંગાળની ખાડીમાં તેમજ અંદમાન સાગરમાં માછીમારોને જવાની ના પાડી દેવામાં આવી છે. ઓડિસામાં ઘણા તટીય વિસ્તારોમાં અત્યારતી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથેજ અમુક વિસ્તારોમાં ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યા ગુલાબ વાવાઝોડાવે કારણે ભારે નુકશાન થવાની સંભવના છે. 

3409 લોકોનું સ્થાળાંતર 

ગુલાબ  વાવાઝોડાના ખતરાને કારણે અત્યાર સુધીમાં ઓડિશામાં 3409 જેટલા લોકોનું સ્થળાતર કરવામાં આવ્યું છે સાથેજ 204 જેટલા લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે. 

ઓડિસાના 10 જિલ્લામાં ગંભીર અસર 

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમણે વાવાઝોડાને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી છે જેમા સુરક્ષા અને સાવધાનીને લઈને ચર્ચા કરવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યું વાવાઝોડાથી રાજ્યના 10 જિલ્લાઓમાં ગંભીર અસર થાય તેવી શક્યતા છે.  

95 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે પવન 

IMD અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે, અત્યારે હાલ વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ આવી રહ્યું છે. IMDએ કહ્યું કકે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્ર પ્રદેસ હણે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે. નોંધનીય છે કે વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ