બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 14yearold girl was killed by her father in the name of sacrifice in Talalana Dhawa village of Gir Somnath

ચકચારી ઘટના / ગીર સોમનાથ :14 વર્ષની સગીરાની પિતાએ જ હત્યા કરી : તાંત્રિક વિધિ મામલે દીકરીની બલિ ચડાવી હોવાની આશંકા

Kishor

Last Updated: 07:36 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે 14 વર્ષની સગીરાની પિતાએ બલિ ચડાવવાના નામે હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

  • તાલાલાના ધાવા ગામની કાળજુ કંપાવતી ઘટના
  • 14 વર્ષની સગીરાની પિતાએ કરી હત્યા
  • નવરાત્રી દરમિયાન બલિ ચડાવી હોવાનો આરોપ

ગીર સોમનાથમાં હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં તાલાલાના ધાવા ગામમાં પિતાએ જ સગીરાની બલિ ચડાવી હોવાના આરોપ લાગી રહ્યા છે. નવરાત્રીમાં તાંત્રિક વિધિના નામે બાળકીની બલિ ચડાવવામાં આવી હોવાની ચર્ચાને લઇને સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. બીજી તરફ આ અંગે જાણ થતાં પોલીસ પણ દોડતી થઇ છે. બે દિવસથી પોલીસે ધામાં નાખ્યા છે એને ઇન્વેસ્ટીગેશન કરી રહી છે. જેની તપાસ બાદ સમગ્ર હકીકત બહાર  આવશે.

14 વર્ષની સગીરાની પિતાએ જ હત્યા કરી

ચર્ચતી વિગત અનુસાર ભાવેશ અકબરી નામના વ્યક્તિની 14 વર્ષની સગીરા જે ધોરણ 9મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8મા નોરતાએ તે બાળકી ગુમ થઈ ગઈ હતી. લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, બાળકીને આઠમની રાત્રે તેના જ પિતાએ કથિત રીતે બલિ ચડાવી દીધી છે. આ બાબતની પુરાવા વિનાની પોલીસને પણ બાતમી મળી હતી.આથી બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બાતમી મળ્યા બાદ પોલીસે ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન શેરડીના વાઢમાંથી રાખ ભરેલી  પ્લાસ્ટિકની 2 બેગ અને એક ઝભલું મળી આવ્યું છે. એ બેગની અંદર કપડા અને રાખ જોવા મળી હતી. જ્યાં 14 વર્ષની સગીરાની પિતાએ જ હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. તાંત્રિકવિધિમાં અંધવિશ્વાસમાં પિતાએ દિકરીની બલી ચડાવી ખૌફનાક મોત આપ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. 

સગીરા જીવિત ન થતા આખરે સગીરાની અતિંમ વિધિ કરાઇ
આરોપીએ હત્યા બાદ 4 દિવસ સુધી મૃતદેહ સાચવ્યો હતો અને મંત્ર વિદ્યાથી જીવિત કરવાના પ્રયાસો પણ કર્યા હતા. જેમાં દીકરી જીવિત ન થતાં અંતે મૃતક દીકરીની અંતિમવિધિ કરાઇ હતી. હાલ આ બધા આરોપસર પોલીસે સગીરાના માતા-પિતાની કરી અટકાયત કરી છે અને પિતા તથા અન્ય લોકોની તાલાલા મામલતદારે પણ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, ભેદભરમ જેવા આ કિસ્સામાં કેવું સત્ય બહાર આવે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ