બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / 1000 year old Shiva temple unearthed during excavations, archeology department wondered, find out what
Mehul
Last Updated: 09:43 PM, 16 February 2022
ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિર બાદ હવે ઉજ્જૈન-બડનગર રોડ પર આવેલા ગામ કલમોડામાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. અને મંદિરના અવશેષોની પણ દરકાર રાખવામાં આવી છે. જણાવી દઈએ કે મહાકાલેશ્વર મંદિરનાં વિસ્તૃતીકરણ દરમિયાન ખોદકામ કેટલાય મહિનાઓથી ચાલે છે.આ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ અને શિવલિંગની સાથોસાથ મંદિર પણ મળ્યા છે. આવા જ એક ખોદકામ દરમિયાન 1000 વર્ષ જુનું શિવમંદિર મળી આવ્યું છે.
મંદિરનું ક્ષેત્રફળ એકદમ વિશાળ
બડનગર રોડ પર આવેલા ગામ કલમોડામાં ખોદકામ દરમિયાન એક મોટું શિવમંદિર મળ્યું છે.અહીં પુરાતત્વ વિભાગે સતત ખોદકામ શરુ કરાવ્યું છે.વિભાગના અધિકારી ડૉ.ધ્રુવેન્દ્ર જોધાએ જણાવ્યું કે, શિવ મંદિરનું ક્ષેત્રફળ એકદમ વિશાળ છે.અહીં દરરોજ 20 મજૂરો દ્વારા ખોદકામ ચાલે છે.હજુ પણ ખોદકામમાં સમય લાગી શકે છે.અગાઉ પણ આશંકા દર્શાવવામાં આવી હતી કે અહીં શિવ મંદિર અને ગર્ભ નીકળી શકે છે.
શું શું મળ્યું ?
આ રીતે સાવધાની પૂર્વક ખોદકામ કરાઈ રહ્યું છે.ખોદકામ દરમિયાન શિવલિંગ,ભગવાન વિષ્ણુની પ્રતિમા,જળકુંભ, સહીત ભગવાનના મંદિરના અવશેષ મળ્યા છે.પુરાતત્વ વિભાગનાં અધિકારીઓનાં માનવા પ્રમાણે આ મંદિર ઓછામાં ઓછું 1000 વર્ષ જૂનું છે.મંદિરના અવશેષોના પરીક્ષણ માટે કેટલાક તજ્જ્ઞને પણ બોલાવાયા છે.
ઉત્તરમુખી શિવ મંદિર મળ્યું
ઉજ્જૈનનાં પ્રસિદ્ધ જયોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર દક્ષિણમુખી જયોતિર્લિંગ છે.જો કે ઉત્તરની દિશા દેવતાઓની દિશા માનવામાં આવે છે.પુરાતત્વ વિભાગનાં માનવા મુજબ કલમોડામાં મળેલા શિવ મંદિર ઉત્તરમુખી મંદિર છે. અહીં ખોદકામ દરમિયાન વધુ મહત્વપૂર્ણ અવશેષો મળવાની સંભાવનાઓ છે. પથ્થરોના આકાર અને અવશેષ જોઈને એવો પણ દાવો થઇ રહ્યો છે કે આ મંદિર અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરાયું હશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh