બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 11:57 AM, 12 February 2024
અબજોપતિ એલન મસ્ક હંમેશા કંઇક આશ્ચર્યજનક અને નવું કરવા માટે જાણીતા છે. આ સાથે જ તેઓ તેમના નિવેદન અને અલગ અલગ દાવાને કારણે પણ લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. એવામાં હવે મસ્કે રવિવારે 10 લાખ લોકોને મંગળ પર લઈ જવાની યોજના વિશે જાહેરાત કરી હતી.
આ વિશે વાત કરતાં એલન મસ્કે X પર એક પોસ્ટમાં લખ્યું કે "અમે 10 લાખ લોકોને મંગળ પર લઈ જવા માટે ગેમ પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. સ્ટારશિપ અત્યાર સુધીનું સૌથી મોટું રોકેટ છે, જે આપણને મંગળ પર લઈ જશે.'' આ સાથે જ એલન મસ્કે કહ્યું કે એક દિવસ મંગળની સફર સામાન્ય દેશભરની ફ્લાઇટ જેવી હશે.
વાત એમ છે કે ઈન્ટરનેટ યુઝર દ્વારા મંગળ પર જવા માટે સ્ટારશિપ લોન્ચ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે કહ્યું કે સ્ટારશિપ પાંચ વર્ષથી ઓછા સમયમાં ચંદ્ર પર પહોંચી શકશે. સ્ટારશિપ સૌથી મોટું રોકેટ છે અને તે આપણને મંગળ પર લઈ જશે. જો કે મંગળ પર જવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
આ ઉપરાંત એલન મસ્કે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે SpaceX આગામી આઠ વર્ષમાં લોકોને ચંદ્ર પર મોકલશે. આ વિશે લખતા એમને કહ્યું કે "હવેથી આઠ વર્ષ પછી વસ્તુઓ કેવી હશે? મને લાગે છે કે આપણે મંગળ પર લેન્ડ કરી ગયા હોઈશું અને મને લાગે છે કે આપણે લોકોને ચંદ્ર પર મોકલ્યા હશે."
મસ્કે કહ્યું, “આપણે ચંદ્ર પર બેસ બનાવવો જોઈએ અને પછી લોકોને મંગળ પર મોકલવા જોઈએ. કદાચ સ્પેસ સ્ટેશનની બહાર કંઈક છે, આપણે તેના વિશે જોઈશું.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh