બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 1 lakh Patidars to gather in Khodaldham on January 21: PM Modi-CM Bhupendra Patel invited

સંમેલન / 21 જાન્યુઆરીએ ખોડલધામમાં ભેગા થશે 1 લાખ પાટીદારો: PM મોદી-CM ભૂપેન્દ્ર પટેલને અપાયું છે આમંત્રણ

Vishal Khamar

Last Updated: 02:30 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ખોડલધામને આગામી 21 જાન્યુઆરીના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોઈ ખોડલધામ કાગવડ દ્વારા ભવ્ય કન્વીનર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

  • પ્રધાનમંત્રી મોદીને પણ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું 
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 જાન્યુઆરીએ આવી શકે છે રાજકોટ
  • 21 જાન્યુઆરીએ ખોડલધામને 6 વર્ષ થઇ રહ્યા છે પૂર્ણ
  • કાલે અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે

 લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ખોડલધામને આગામી 21 જાન્યુઆરીના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોઈ ખોડલધામ કાગવડ દ્વારા ભવ્ય કન્વીનર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બેઢકમાં દેશભરના શહેર, તાલુકા અને ગ્રામ્યના કન્વીનર્સ, સ્વયંસેવકો હાજર રહેવાના છે.  આ કન્વીનર સંમેલનમાં 1 લાખથી વધુ પાટીદાર સમાજના લોકો ભાગ લેશે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

ફાઈલ ફોટો

કાગવડ ખોડલધામ દ્વારા વડાપ્રધાન અને ગૃહમંત્રીને આમંત્રણ પાઠવ્યું
કાગવડ ખોડલધામ ખાતે યોજાનારા કન્વીનર મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે.  ત્યારે ખોડલધામ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પધાવરા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહને પણ કાગવડ ખોડલધામ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે 21 જાન્યુઆરીના રોજ યોજાનારા આ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહે તેવી શક્તાઓ છે. આ કન્વીનર સંમેલનમાં સમગ્ર દેશભરના શહેર, તાલુકા અને ગ્રામ્યના કન્વીનર્સ તેમજ સ્વયંસેવક મળી કુલ 1 લાખથી વધુ પાટીદારો સંમેલનમાં ભાગ લેવાના છે. 

ફાઈલ ફોટો

કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણના દિવસે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે
ઉત્તરાયણના તહેવારને બે દિવસ બાકી છે.  ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દર વર્ષની જે આ વર્ષે પણ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. ત્યારે અમિત શાહ કાલ સાંજે ગુજરાત આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને ઉત્તરાયણના દિવસે સવારે તેઓ જગન્નાથ મંદિરે પરિવાર સાથે દર્શન કરશે. 

ફાઈલ ફોટો

બીજા દિવસે ગૃહમંત્રી કચ્છ બોર્ડરની પણ લેશે મુલાકાત

અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. અમિત શાહ કાર્યકરો સાથે પતંગ ઉડાડવાની મઝા માણવાના છે. ત્યારે ઉત્તરાયણના બીજા દિવસે અમિત શાહ કચ્છ બોર્ડરની પણ મુલાકાત લેવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ