ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:41 PM, 9 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
૩૫ વર્ષથી એક જ રૂમમાં મહિલા કેદ હતી
ફિરોઝાબાદમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં ૩૫ વર્ષોથી ઘરમાં કેદ એક મહિલાને હાથરસની ધારાસભ્ય સેવા ભારતી ટીમની મદદથી આઝાદ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને ઈલાજ માટે આગરા મોકલવામાં આવી. મહિલાના પરિવારને આશા છે કે કદાચ આ વખતે તેની બહેન ઠીક થઈને ઘરે પાછી ફરશે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા છેલ્લા 35 વર્ષથી એક જ રૂમમાં સાંકળો બાંધીને રહેતી હતી. જ્યારે હાથરસના ધારાસભ્યને આ વાતની જાણ થઈ તો તેમણે મહિલાની મદદ કરવાનું વિચાર્યું. તેમણે સેવા ભારતીના સભ્યોની મદદથી મહિલાને મુક્ત કરાવી હતી. ત્યારબાદ તેને સારી સારવાર માટે મેન્ટલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ, આગરામાં દાખલ કરાવી.
માનસિક રૂપથી અસ્વસ્થ મહિલાને સાંકળોથી બાંધવામાં આવી હતી
ADVERTISEMENT
ટૂંડલાનાં મોહમ્મદાબાદ ગામની નિવાસી સપના માત્ર 17 વર્ષની જ્યારે તેના પરિવારને જાણ થઇ કે તે માનસિક રૂપથી અસ્વસ્થ છે. પરિવારે તેનો ઈલાજ કરવાની ખૂબ જ કોશિશ કરી, પણ સપનાની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહીં. ઘણો ઈલાજ કરાવ્યા બાદ પણ જ્યારે સપના ઠીક ન થઇ, ત્યારે પરિવારે તેને ત્યાં જ કેદ કરીને રાખી દીધી, જેથી તે ક્યાંય ચાલી ન જાય. આ માટે તેના પગમાં સાંકળ પણ બાંધવામાં આવી. પરિવાર આમ કરવા તો નહોતો માંગતો, પણ તેઓ મજબૂર હતા.
પરિવારના લોકો સપનાને ત્યાં જ જમવાનું આપતા હતા. તેમને લાગવા લાગ્યું હતું કે સપનાનું જીવન એ જ રૂમમાં કેદ થઈને વીતી જશે. પછી 2021માં સપનાનાં પિતાનું બીમારીને કારણે નિધન થઇ ગયું, જ્યાર બાદ તેના બે ભાઈઓ તેની સંભાળ લેતા હતા. ૩૫ વર્ષથી સપના આવું જીવન જીવતી આવી છે. માનસિક રૂપથી બીમાર સપનાને કદાચ ખુદ પોતાની જ સ્થિતિની જાણ નહીં હોય. તે લોકો સાથે વાત પણ ઓછી કરે છે.
ADVERTISEMENT
જ્યારે સપનાની સ્થિતિની જાણ હાથરસનાં ધારાસભ્ય અંજૂલા માહોરને થઈ, તો તેમણે સેવા ભારતીનાં સદસ્યો સાથે વાત કરી, પછી તેમને મહિલા વિશે જાણકારી મેળવવા મોકલ્યા. નિર્મલા સિંહનાં નેતૃત્વમાં સેવા ભારતીની ટીમ ફિરોઝાબાદ સ્થિત સપનાનાં ઘરે પહોંચી. ત્યાં તેની સ્થિતિ જોઇને તે લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા. એક મહિલાને સાંકળોથી બાંધેલી હતી, જાણે તે માણસ ના હોય.
પરિવારે જણાવી લાચારી
તેમણે આ વિશે પરિવાર સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે તેઓ બહેનને આમ બાંધીને રાખવા માંગતા ન હતા , પણ માનસિક હાલતને ધ્યાનમાં રાખતા તેમણે આમ કરવું પડ્યું. સપનાના ભાઈઓએ જણાવ્યું કે પરિવારે સપનાનો ઈલાજ કરાવવાની ખૂબ જ કોશિશ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં.
ADVERTISEMENT
સપનાને આગરામાં માનસિક સ્વાસ્થ્ય સંસ્થાનમાં ભરતી કરવામાં આવી
ત્યાર બાદ નિર્મલા સિંહે માનસિક રૂપથી અસ્વસ્થ સપનાનાં પરિજનોને જણાવ્યું કે તેઓ સપનાનો ઈલાજ કરવામાં મદદ કરશે, જેથી તે આગળનું જીવન આઝાદીથી જીવી શકે. પરિવાર તૈયાર થઇ ગયો, જ્યાર બાદ સપનાને સારા ઈલાજ માટે માનસિક સ્વાસ્થ્ય સંસ્થાનમાં ભરતી કરવામાં આવી. હાલમાં તેનો ઈલાજ શરુ થઇ ગયો છે. પરિવારને આશા છે કે કદાચ આ વખતે તે ઠીક થઈને ઘરે પાછી ફરશે.
સંકળાયેલા મુદ્દાઓ