બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / why rohit and kohli are not playing t20 cricket indian captain disclosed

ક્રિકેટ / આખરે કેમ T20માં રોહિત અને કોહલી ક્રિકેટ નથી રમી રહ્યાં? ખુદ ભારતીય કેપ્ટને કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

Arohi

Last Updated: 09:39 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India: પાછલા લાંબા સમયથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 ક્રિકેટ નથી રમી રહ્યા. હવે હિટમેને પોતે આ પાછળનું કારણ જણાવ્યું છે.

  • રોહિત અને કોહલી કેમ નથી રમી રહ્યા ક્રિકેટ? 
  • ખુદ ભારતીય કેપ્ટને કર્યો ખુલાસો
  • જાણો શું કહ્યું રોહિત શર્માએ? 

2022 ટી20 વર્લ્ડ કપના બાદથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 ટીમનો ભાગ નથી. જોકે BCCIની તરફથી તેને લઈને સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આખરે કેમ આ બન્ને દિગ્ગજ બેટ્સમેન ટી20 ક્રિકેટ નથી રમી રહ્યા. હવે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતે તેનો ખુલાસો કર્યો છે. 

મુંબઈમાં એક ઈવેન્ટ વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમ અને વર્લ્ડ કપ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા છે. આ વચ્ચે તેમણે એવું પણ જણાવ્યું કે આખરે કેમ તે અને વિરાટ કોહલી ટી20 કિક્રેટ નથી રમી રહ્યા. 

આ સમસ્યા પર ચિંતિત છે રોહિત
રોહિત શર્માએ જણાવ્યું કે ટીમના મહત્વના ખેલાડીઓના ઈજાગ્રસ્ત હોવાના કારણે તે ખૂબ જ પરેશાન છે. સાથે જ તેમણે ટીમ ઈન્ડિયાની ઈંજરી વાળી સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી. 

રોહિતે ટી20 ટીમના બહાર હોવાને લઈને કહ્યું, "ગયા વર્ષે પણ અમે આવું કર્યું હતું. ટી 20 વર્લ્ડ કપ થવાનો હતો. તો અમે વન ડે ક્રિકેટ ન રમી. આ વર્ષે વનડે વર્લ્ડ કપ થવા જઈ રહ્યો છે તો અમે ટી20 ક્રિકેટ નથી રમી રહ્યા. આ વર્લ્ડ કપનું વર્ષ છે અને અમે પોતાને ફ્રેશ રાખવા માંગીએ છીએ પહેલાથી આ અમારી ટીમમાં એટલા ઈજાગ્રસ્ત છે કે હવે મને ઈંજરીથી ડર લાગે છે." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ