બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Why politics in the religious occasion of Ram Mandir? Repeating the mistake of rejecting the invitation, why did Congress escape?

મહામંથન / રામમંદિરના ધાર્મિક અવસરમાં રાજકારણ કેમ? નિમંત્રણનો અસ્વીકાર કરી ભૂલનું પુનરાવર્તન, કોંગ્રેસની ડગરી કેમ છટકી?

Vishal Khamar

Last Updated: 08:30 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો કોંગ્રેસ દ્વારા ના પાડવામાં આવી છે. કોંગ્રેસે મળેલા આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય નેતાઓ પણ નહી જાય. અધિરંજન ચૌધરી પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહી જવાનો નિર્ણય કર્યો. ધાર્મિક અવસરમાં રાજકારણ શા માટે તે મહત્વનો સવાલ છે.

ભારતીય રાજકારણનીએ ઘટનાની જે મોટેભાગે અપેક્ષીત હતી. રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો કોંગ્રેસે સવિનય અસ્વીકાર કર્યો છે. ધર્મ એ વ્યક્તિગત વિષય છે. એટલે કોંગ્રેસને ભલે બીજા કોઈ સવાલ ન પૂછીએ પણએ સવાલ ચોક્કસ વ્યાજબી છે, કે ધાર્મિક અવસરમાં રાજકારણ કેમ ભેળવવામાં આવે છે. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઈન્કાર કર્યો. તેને ભલે વ્યક્તિગત બાબત ગણીએ પરંતુ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને તેઓ ભાજપ-સંઘનો કાર્યક્રમ શા માટે ગણાવી રહ્યા છે. ભગવાન રામ તો કરોડો ભારતવાસીઓના આરાધ્ય દેવ છે.

Congess soniya Gandhi Kharge unaccepted the ram mandir mahotsav invitation

તો એમાં મારા-તમારા કરવાની જરૂર કેમ પડી. હિંદુ બહુલ દેશ છે અને એ દેશમાં જ્યાં ભગવાન રામનું જન્મસ્થાન છે એ જ સ્થળે વર્ષોથી રામલલા તાડપત્રીમાં હોયએ સ્થિતિ ખરેખર તો વર્ષો પહેલા નિવારી શકાતી હતી. કદાચએ સમયગાળાને ભૂલી જઈએ અને આગળ વધીએ તો પણ હવે કોંગ્રેસ માટે ખરેખરએ કહેવાનો સમય છે કે હા અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. તે અયોધ્યામાં જ ભગવાન રામનું મંદિર બનવું જોઈએ. સવાલો અનેક છે જેના જવાબ કોંગ્રેસે સત્વરે શોધવા પડશે નહીં તો તેનો જવાબ આવનારો સમય ચોક્કસ આપવાનો જ છે. ત્યારેએ પાયાના પ્રશ્નનની ચર્ચા કરીએ કે રામના નામે ફરી ફરીને રાજકારણ જ કેમ?

કોંગ્રેસનો તર્ક શું છે?
ધર્મ વ્યક્તિગત વિષય છે. ભાજપ-સંઘે અયોધ્યામાં મંદિરને રાજકીય વિષય બનાવ્યો છે. ચૂંટણીમાં લાભ મેળવવા અપૂર્ણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. 2019 માં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેને આવકારીએ છીએ. આ કાર્યક્રમ ભાજપ-સંઘનો છે. 

ભાજપનો પલટવાર
જે રામને માનતા જ નથી એ ગમે તે બહાનું આપી શકે છે.  અમે ચૂંટણીને ધ્યાને રાખીને મંદિર નિર્માણ કરતા નથી. કોંગ્રેસ દેશની રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક વિભાવાથી દૂર થઈ ગઈ. કોંગ્રેસનો દરેક નિર્ણય ડાબેરી અને લઘુમતિઓને ખુશ કરવા માટે હોય છે. કોંગ્રેસે ભગવાન રામનાં અસ્તિત્વને જ નકારી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ