બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Khyati
Last Updated: 04:00 PM, 11 February 2022
દુબઇમાં આવેલી સૌથી ઊંચી ઇમારત.. જેનું નામ છે બુર્ઝ ખલીફા. 2010માં બનેલી આ ગગનચુંબી ઇમારતને જોવા દુનિયાભરમાંથી લોકો આવે છે. એક સમયે તો અહીં ઘર, ઑફિસ લેવાની હોડ જામી હતી . આ ઊંચી ઇમારતની સુંદરતા એટલી જ રંગીન છે કે આપણે નજર પણ પહોંચે નહી ત્યાં સુધી માળ આવેલા છે. પરંતુ શું તમને ખબર છે કે આ ઇમારતમાં 200 મીટરનો હિસ્સો તો ખાલી છે. માત્ર 71 ટકામાં જ લોકો વસવાટ કરે છે.
830 મીટર ઉંચી ઈમારતના માત્ર 160 માળ જ રહેવા લાયક
830 મીટરની ઉંચાઈ ધરાવતી આ ઈમારતમાં હજારો લોકો રહે છે. બુર્જ ખલીફા લક્ઝરી ઘરો, અત્યાધુનિક મનોરંજન સ્થળો અને આઉટડોર સ્વિમિંગ પુલથી ભરપૂર છે. પરંતુ, તેની ડિઝાઇનને કારણે, આ વિશાળ ગગનચુંબી ઇમારતનો મોટો ભાગ સંપૂર્ણપણે નિર્જન છે. બુર્જ ખલીફામાં 200 થી વધુ માળ છે, પરંતુ તેમાંથી ફક્ત 160 માળ પર જ લોકો રહી શકે તેમ છે. આ ઈમારતનો 200 મીટરનો ભાગ એટલો પાતળો છે કે ત્યાં કોઈ પણ રહી શકે તેમ નથી.
રમજાન દરમિયાન બુર્ઝ ખલીફાના નિયમો અલગ
આ ઈમારત એટલી ઊંચી છે કે તેમાં રહેતા લોકોને રમઝાન દરમિયાન અલગ નિયમનું પાલન કરવું પડે છે. બુર્જ ખલીફાના ઉંચા માળે રહેલા લોકોને રમઝાન દરમિયાન જમીન પરના લોકો કરતાં બે મિનિટ પછી ઉપવાસ તોડવાની સૂચના આપવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે બુર્જ ખલીફામાં વધુ ઊંચાઈએ રહેતા લોકો પછીથી બે મિનિટ સુધી સૂર્યને જોઈ શકે છે.
આટલી ઊંચી અને સુંદર બિલ્ડીંગ, પણ ગટર જ નહિ
બુર્જ ખલીફાનો ત્રીજો હિસ્સો ખાલી છે છતાં પણ અહીં સુએજ પ્લાન્ટ નથી. એટલે કે ગંદકીના નિકાલ માટે રોજે રોજ ટ્રક આવે છે. ગંદા પાણી અને મળ કે અન્ય કચરાના નીકાલ માટે અહીં સુએજ સિસ્ટમ છે જ નહિ. દરરોજ ટ્રકનો કાફલો બુર્ઝ ખલીફા નીચે આવે અને કચરો લઇ જાય. છેને નવાઇની વાત. આટલી મોટી ઇમારત પણ ગટરની વ્યવસ્થા નહી બોલો, કેવુ કહેવાય. આશરે 35000 લોકો અહીં વસવાટ કરે છે અને રોજનો 15 ટન જેટલો કચરો ભેગો થાય છે. જો કે આ બિલ્ડિંગમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામ 2025 પહેલા પૂરણ થાય તેવી આશા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir