બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ``Who'' gave the power to disturb the farmers? Who will prevent damage caused by unauthorized power poles-windmills?
Vishal Khamar
Last Updated: 10:33 PM, 9 June 2023
ખેડૂતોની વધુ એક પરેશાનીની તો ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ઉભી થઈ. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો સાથે એવા બનાવ બને છે કે જાણે દાદાગીરી કરવા માટે ખેડૂતો જ સોફ્ટ ટાર્ગેટ હોય. સરકારની વીજકંપની જેટકો દ્વારા ખેડૂતો સાથે વિવાદના અનેક કિસ્સા આવ્યા જેમાં હવે જામનગરનો પણ ઉમેરો થયો. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે મંજૂરી વગર જ તેના ખેતરમાં આડેધડ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ખેડૂતને હેરાન પરેશાન કરવામાં આવે છે
એટલુ જ નહીં પણ ખેડૂત જો વિરોધ કરે છે તો તેને અને તેના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે, ખેડૂતને ઢોર માર મારવામાં આવે છે અને તે પણ એટલી હદે કે ખેડૂતને ફ્રેકચર થઈ જાય છે.. નવાઈ તો ત્યારે લાગે જયારે જેટકોના અધિકારીઓને આવા કામમાં પોલીસ પણ સાથે આપે તેવો આક્ષેપ થાય. જેટકોનો ત્રાસ ઓછો હોય એમ પવનચક્કી નાંખતી કંપનીઓ પણ ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખતી. પવનચક્કી નાંખતી કંપનીઓ ઉલટુ ખેડૂતને એમ પૂછે છે કે આ જમીન તમારી છે તેનો નકશો બતાવો. સવાલ એ છે કે ખેડૂતોને પરેશાન કરવાનો પાવર આપ્યો તો કોણે આપ્યો, અને આવા પાવર કરનારને રોકશે?
ખેડૂતો સાથે ફરી અન્યાય થયાનો મામલો સામે આવ્યો છે. જામનગરના વિવિધ વિસ્તારમાં ખેડૂતો ઉપર દાદાગીરી થઈ રહી છે. સરકારી વીજકંપની જેટકો દ્વારા દાદાગીરીનો આક્ષેપ છે. પવનચક્કીનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીની પણ દાદાગીરી કરે છે. ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર કામ થઈ રહ્યા છે. ખેડૂતોની કોઈ વાત સાંભળવામાં આવતી નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે કામ સંભાળતા પહેલા અમારી મંજૂરી લેવામાં આવી નથી. માથાભારે તત્વો ખેડૂતોને ગાંઠતા ન હોવાનો આરોપ છે.
કાલાવડના ખેડૂત સાથે શું બન્યું?
કાલાવડના ખેડૂત માવજી કપૂરિયાએ જેટકો કંપની ઉપર આક્ષેપ કર્યા છે. માવજી કપૂરિયાના ખેતરમાં મંજૂરી વગર કામ કરવામાં આવતું હતું. ખેડૂતે જયારે કામ અટકાવવા કહ્યું ત્યારે ખેડૂતને ધમકી આપવામાં આવી. જેટકોના અધિકારીઓએ પોલીસને રૂપિયા ખવડાવ્યાનો આરોપ છે. પોલીસે રૂપિયા લઈને ખેડૂતના દીકરા અને ભત્રીજાને ઢોર માર માર્યો હોવાનો આરોપ. ખેડૂતના 12માં ધોરણમાં અભ્યાસ કરતા દીકરાની કારકિર્દી ખતમ કરી નાંખવાની પણ ધમકી આપી છે. ખેડૂતને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપવામાં આવી. ખેડૂતને માર મારતા ફ્રેકચર પણ થયું હતું.
ખાનગી કંપનીની પણ દાદાગીરી
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કી નાંખવાનું કામ ચાલી રહ્યું છે. સુવરડા, વીજરખી, ઠેબા ગામના ખેડૂતોને પરેશાની થઈ રહી છે. પવનચક્કી નાંખવાનો કોન્ટ્રાક્ટ જેની પાસે છે તે ઓપેરા કંપની દાદાગીરી કરી રહી છે. ખેડૂતોની મંજૂરી વગર પવનચક્કી નાંખવાનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતો જયારે કામ અટકાવે છે તો કંપની કહે છે કે ખેતરના નકશા બતાવો. મંજૂરી લીધા વગર ખેતરમાં રસ્તા બનાવી દેવાયાના પણ આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. રાતોરાત વીજપોલ પણ ઉભા કરી દેવાયા છે.
જેટકો કંપની અને ખેડૂતોનો વિવાદ
જેટકો દ્વારા નંખાતા વીજ થાંભલાઓ સામે અનેકવાર વિરોધ થયા છે. ખેતર વચ્ચેથી હાઈટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે જેથી પાકને નુકસાન થાય છે. હાઈટ્રાન્સમિશન લાઈન સામે ખેડૂતોને ઓછા વળતર મળ્યાની પણ ફરિયાદ છે. અનેક ખેડૂતોએ કલેક્ટરને વાંધા અરજી રજૂ કરી છે. ખેડૂતોને જેટકો GR પ્રમાણે વળતર ચુકવે છે. જેટકો અને ખેડૂતો વચ્ચે વળતર અને પાક નુકસાની મુખ્ય વિવાદ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir