બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / Which way did the light shine? Not one but two storms arose, mobile sellers are on the radar of GST, Team India is on top
Vishal Khamar
Last Updated: 11:47 PM, 24 October 2023
અરબી સમુદ્રમાં વધી રહેલા ચક્રવાતી તોફાન તેજ ( Cyclone Tej ) ના કારણે દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોનું ટેન્શન વધી ગયું છે. દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ ચક્રવાત તેજ ( Cyclone Tej ) ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર તેને તેજ ( Cyclone Tej ) કહેવામાં આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે 'તેજ' વાવાઝોડું ટકરાશે. તેઓએ કહ્યું છે કે, અરબ દેશમાં 'તેજ' વાવાઝોડું તબાહી મચાવશે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
દિવાળી સહિતના તહેવારો નજીક છે આવી સ્થિતિ વચ્ચે તહેવારો ટાણે જ જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ વિક્રેતાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરાઈ રહી છે. ગાંધીનગર સ્ટેટ જીએસટી ટીમ દ્વારા અમદાવાદના 57 સહીત કુલ 79 સ્થળોએ રેડ પાડવામાં આવી હતી. જીએસટી અધિકારીઓની ઓચિંતી તપાસને પગલે કસૂરવાર મોબાઇલ વિક્રેતાઓમાં ફફડાક ફેલાયો હતો અને બજારમાં જાણે સોંપો પડી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
નવરાત્રીના ગરબા રમતા યુવકોએ સાવચેતી રાખીને ગરબા રમવા કારણકે હાલ યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ વધી રહ્યું છે. અમદાવાદના હાથીજણમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. 28 વર્ષિય રવિ પંચાલ નામનો યુવક ગરમ રમતા સમયે જ અચાનક ઢળી પડ્યો હતો. હાર્ટ એટેક આવતા રવિ પંચાલનું મૃત્યુ નિપજ્યું હતું.
ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા 6 દિવસમાં ગરબે રમી રહેલા 1100થી વધુ લોકોએ ઈમરજન્સી કોલ કર્યાં હતા. છેલ્લા છ દિવસમાં, હૃદયને લગતી સમસ્યાઓ માટે 521 ઇમરજન્સી કોલ્સ અને શ્વાસની તકલીફ માટે 609 ઇમરજન્સી કોલ્સ એમ્બ્યુલન્સ સેવાઓને કરવામાં આવ્યા હતા. આ તમામ કોલ સાંજે 6 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યા હતા. એટલે કે ગરબાનો કાર્યક્રમ થઇ રહ્યો છે ત્યારે જ કોલ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને સરકાર અને ગરબા આયોજકોએ કાર્યવાહી હાથ ધરી છે.
ખેડૂતો માટે સારા સમાચાર સમાન ખેડૂતોને KCC કાર્ડ દ્વારા માત્ર ચાર ટકાના વ્યાજે લોન આપવામાં આવશે. જેને લઈને SBI દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાય છે. આ માટે ખાસ SBIએ ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેડૂતોને જાગૃત કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ લોન લોવા માટે ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવું ફરજિયાત કરાયુ છે. મતલબ કે જો ખેડૂતો તેમના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરે છે, તો SBI કિસાન ક્રેડિટ કાર્ડ લોન માત્ર ચાર ટકાના વ્યાજે આપશે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે રવિવારે (22 ઓક્ટોબર) 16મા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું. ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યા છે. હમાસ વિરુદ્ધ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નાગરિકોને વધુ નુકસાન ન થાય તે માટે ઈઝરાયેલે હવે પેલેસ્ટાઈનીઓને ઉત્તર ગાઝા છોડીને દક્ષિણ તરફ જવાની નવી ચેતવણી આપી છે. ઇઝરાયેલની વાયુસેનાએ પશ્ચિમ કાંઠાના જેનિન શહેરમાં એક મસ્જિદમાં આતંકવાદી સેલ પર હુમલો કર્યો છે. જ્યાં હમાસના લડવૈયાઓએ આશ્રય લીધો હતો અને નવા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. ઇઝરાયેલી સૈન્ય અને શિન બેટે જણાવ્યું હતું કે લશ્કરી વિમાને ઉત્તરી પશ્ચિમ કાંઠાના શહેર જેનિનમાં એક મસ્જિદ સાથે જોડાયેલા ભૂગર્ભ આતંકવાદી માર્ગ પર ત્રાટક્યું હતું, જ્યાં હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ આશ્રય લઈ રહ્યા હતા. એક સંયુક્ત નિવેદનમાં ઇઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું કે IDFએ ગુપ્ત માહિતી મળ્યા બાદ આ હુમલો કર્યો હતો. આ હુમલાના ષડયંત્ર વિશે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી.
ભારતના દુશ્મનોની વિદેશમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કેનેડા હોય કે પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતના દુશ્મનોની સતત હત્યા થઈ રહી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ભારતના વધુ એક દુશ્મનને મારી નાખ્યો છે. માહિતી મુજબ લશ્કર-એ-જબ્બરના સંસ્થાપક દાઉદ મલિકની વઝિરિસ્તાનમાં દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દાઉદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહરની ખૂબ નજીક હતો. પાકિસ્તાની અખબાર અહેવાલમાં મલિકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર ઉત્તર વઝીરિસ્તાનના મિરાલીમાં મલિકની હત્યા કરવામાં આવી છે.
આ ઉર્વશી સોલંકી એમ કે છે કે નવરાત્રી "સેટિંગ" કરવાનો ઉત્સવ છે. જો નવમે દિવસે પણ તમે સિંગલ છો,તો તમે ગરબા જ રમ્યા છો.
— Prapti (@i_m_prapti) October 22, 2023
આ બેન ને ખબર પણ છે કે આપણી હિંદુ દીકરીઓને ફસાવવા માટે પંચર પુત્રો "વેશ" ધારણ કરીને ગરબામાં પહોંચે છે, પછી શું થાય છે?
મૂર્ખ સ્ત્રી છે. pic.twitter.com/3EHc1dgDv5
ગુજરાતી ગાયક કલાક ઉર્વશી સોલંકી નવરાત્રીમાં માની મર્યાદા ભૂલી હોય તેવું લાગે છે. કાર્યક્રમમાં સ્ટેજ પરથી યુવાનોને નવરાત્રીના જ પ્રેમ કરી લેવાનું કહેવાનો ઉર્વશીનો વીડિયો વાયરલ થયો છે. શ્રદ્ધા ભક્તિના આ પાવન પર્વનું પણ તેને ભાન ન રહ્યું અને ખુલ્લેઆમ યુવાનોને સેટિંગ કરી લેવાની સલાહ આપી.
થલપતિ વિજયની ફિલ્મ 'LEO' એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. 'LEO' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે. ચાર દિવસમાં ફિલ્મ 200 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. રવિવારે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે. લોકેશ કનાગરાજની ફિલ્મ 'LEO' 19 ઓક્ટોબર 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શાનદાર ઓપનિંગ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક બોક્સ ઓફિસ પર રવિવાર 'LEO' માટે સારો દિવસ સાબિત થયો હતો.
એક મોટી સિદ્ધિ મેળવતા હિમાચલના ધર્મશાળામાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચ્યો છે. ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 273 રન બનાવ્યાં હતા જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. આ રીતે ભારતની 4 વિકેટે જીત થઈ હતી. ભારત વતી વિરાટ કોહલીએ સૌથી વધારે 95 રન બનાવ્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir