બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 11:25 AM, 4 September 2023
Ghosi By Election 2023 : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, સુભાસપાના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર કે જેઓ અવારનવાર પોતાના નિવેદનો માટે હેડલાઈન્સમાં રહે છે. આ દરમિયાન હવે તેમણે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે, જેણે યુપીના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. રાજભરે દાવો કર્યો છે કે, શિવપાલ યાદવ ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક મોટી ઘટના હશે જે રીતે મહારાષ્ટ્રમાં થયું તે જ રીતે યુપીમાં પણ થવાનું છે. શિવપાલ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે આવશે.
UP વિધાનસભામાં CM યોગી આદિત્યનાથના ભાષણનો ઉલ્લેખ કરતા ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, મુખ્યમંત્રીએ અહીં આવવા માટે 27 વાર કહ્યું તેથી તેમણે ટૂંક સમયમાં આવવાનો સંકેત આપ્યો છે. આ દરમિયાન રાજભરે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે આજે અમારા કારણે તેમણે AC છોડીને પેટાચૂંટણીમાં પણ લડવું પડ્યું.
શું કહ્યું ઓમ પ્રકાશ રાજભરે ?
ઓમ પ્રકાશ રાજભરે કહ્યું, વિધાનસભામાં CM યોગીએ શિવપાલજીને 27 વાર કહ્યું કે હવે સમય છે, ત્યાંથી અહીં આવો, પછી જ્યારે તેમણે અમારી તરફ ઈશારો કર્યો તો મેં પણ તેમની તરફ ઈશારો કર્યો, તો તેમણે કહ્યું, ગભરાશો નહીં, હું જલ્દી આવીશ. તેમણે પણ આ વાત સ્વીકારી લીધી છે.
રાજભરનો અખિલેશ યાદવ પર પ્રહાર
ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, તેમણે અખિલેશ યાદવને પણ ACમાંથી બહાર આવીને પેટાચૂંટણીમાં આવવા દબાણ કર્યું હતું. શિવપાલ યાદવે 22મી ચૂંટણીમાં જ્યાં સરકાર બનાવવાની વાત ચાલી રહી હતી એક પણ મીટીંગમાં હાજરી આપી ન હતી. આજે અમે તેમને એટલી મજબૂર કરી દીધી છે કે, શિવપાલ જીને ગામડે ગામડે મોકલવામાં આવ્યા છે કે, ઓમપ્રકાશ રાજભર છે, હાલત ખરાબ છે.
શિવપાલ યાદવ વિશે કર્યો મોટો દાવો
ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે, આજે તેઓ ગામડે ગામડે ભટકી રહ્યા છે, ગરીબ વસાહતોમાં જઈ રહ્યા છે જેમના ગામોમાં તેઓ ક્યારેય ગયા નથી, અને વોટ માંગી રહ્યા છે. અખિલેશ જી વારંવાર કહેતા હતા કે શિવપાલ જી ભાજપનું કામ કરી રહ્યા છે. તો અહીં પણ શિવપાલ યાદવ, રામ ગોપાલ જી અને અખિલેશ જી આવી રહ્યા છે અને ભાજપને જીતાડવાનું કામ કરી રહ્યા છે. તેઓ પોતાના માટે જીતવા માટે કામ નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે, શિવપાલ યાદવ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાશે, આ એક મોટી વાત હશે. જે મહારાષ્ટ્રમાં થયું તે યુપીમાં થવાનું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir