બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / 'We spent the whole night with the children at Agassi', scenes of devastation created in Veraval's Sonaria, watch Video
Vishal Khamar
Last Updated: 06:01 PM, 20 July 2023
બે દિવસ વેરાવળ સોમનાથ ને વરસાદ ધમરોળી રહ્યો છે ત્યારે 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે વેરાવળ થી 17 કિલોમીટર આવેલા સોનારીયા ગામે vtv ની ટીમ પહોંચી હતી. અને ગ્રાઉન્ડ જીરો પરથી તમને સત્ય હકીકત જણાવી રહી છે. આ ગામમાં 2500 ની વસ્તી છે લોકો આખી રાત જાગ્યા હતા. અને માણસ ડૂબી જાય એટલું આઠથી દસ ફૂટ પાણી હતું અને બાળકો સાથે ગામવાસીઓ આખી રાત ધાબે બેઠા હતા. અને બે દિવસથી જમ્યા નથી તમામ ઘરવખતી ઘરવખરી પલળી ગઈ હતી. અને વરસાદમાં તણાઈ ગઈ હતી. બે દિવસથી વેફર બિસ્કીટના પડીકા અને ફુટ પેકેટના આધારે ગામવાસીઓ જીવી રહ્યા છે.
આખી રાત પાંચ કલાક અગાસી પર બેઠા રહ્યાઃ ગ્રામવાસીઓ
ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે મોત નજરે જોયું છે આખી રાત પાંચ કલાક અગાસી પર બેઠા રહ્યા હતા. બાળકો સાથે ગોદડા ગાદલા કપડાં તમામ વસ્તુઓ પલળી ગઈ છે અને અમુક વસ્તુઓ તણાઈ પણ ગઈ છે. ત્યારે હજુ પણ ગામમાં દોઢ થી બે ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. પરંતુ ગઈકાલની રાત તો એ લોકો માટે મોત સમાન હતી.
ભારે વરસાદ અને ડેમનાં પાણી છોડાતા ગામમાં બેટ જેવી સ્થિતિ બની હતી
ગીર સોમનાથમાં જળ તાંડવથી વેરાવળનાં સોનારીયા ગામમાં તબાહી મચી હતી. ભારે વરસાદ અને ડેમનાં પાણી છોડાતા ગામમાં બેટ જેવી સ્થિતિ બની હતી. ત્યારે VTV ની ટીમ સોનારીયા ગામમાં પહોંચી હતી. ત્યારે અઢી હજારની વસ્તીવાળા આ ગામે આફતમાં આખી રાત વિતાવી હતી. ત્યારે પાણીનાં પ્રવાહમાં આખું મકાન તૂટ્યું હતું. જોકે પરિવારજનોને સલામત સ્થળે ખસેડાતા જાનહાનિ ટળી હતી. ત્યારે મકાનને નુકશાન પણ પરિવાર બચ્યો હતો.
ડેમનાં દરવાજા ખોલાયા ત્યારે અધિકારીઓ હાજર ન હતાઃ વિમલ ચુડાસમા
આ બાબતે ગીર સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અસરગ્રસ્ત ગામમાં પહોંચ્યા હતા. ત્યારે વેરાવળ સોમનાથનાં 20 થી વધુ ગામોમાં ભારે નુકશાન થયું છે. વધુમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેનાથી જળ હોનારત સર્જાઈ છે. તેમજ જ્યારે ડેમનાં દરવાજા ખોલાયા ત્યારે અધિકારીઓ હાજર પણ ન હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ ભારે જળ તાંડવમાં ભારે નુકશાન થયું છે. જે બાબતે આવતીકાલે ફરી મુખ્યમંત્રીને રજૂઆત કરીશ તેમ જણાવ્યું હતું.
જુઓ તારાજીનાં દ્રશ્યોઃ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir