બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 07:51 PM, 19 July 2023
આંખ શરીરનું સૌથી નાજુક અંગ છે પણ આજકાલ લોકો મોટાભાગનો સમય મોબાઈલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન સામે વિતાવે છે. જેનાથી આંખને ઘણું નુકસાન થાય છે. આંખમાં બળતરા, અને પાણી નીકળવાની સમસ્યા પણ થતી હોય છે. આવી સમસ્યાઓથી બચવા અને આંખનું તેજ વધારવા દરેક વ્યક્તિએ તેના ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જે ખાવાથી તમારી આંખોનું તેજ જળવાઈ રહેશે.
ગાજર
ગાજરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર મોટી માત્રામાં હોય છે. ગાજર આંખ માટે સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. ગાજરનો સૂપ, સલાડ કે શાકની જેમ પણ ઉપયોગ કરી શકાય છે. જે લોકો ચશ્માં પહેરવા માંગતા નથી તેમને દિવસમાં એક વાર ગાજરનો જ્યૂસ પીવો જોઈએ.
બદામનું દૂધ
બદામમાં ઘણાં જરૂરી તત્ત્વ હોય છે. જેના માટે તમે બદામને પલાળીને કે દૂધમાં ભેળવીને લઈ શકો છો. આંખોનું તેજ વધે તે માટે અઠવાડિયામાં ૩-૪ વાર દૂધમાં બદામ ઉકાળીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તમે એક કપ બદામમાં ત્રણ કપ પાણી ઉમેરીને તેને મિક્ચરમાં ગ્રાઈન્ડ કરીને બદામનું દૂધ જાતે પણ બનાવી શકો છો. તે પણ ઘણું ફાયદાકારક છે.
લીલાં શાકભાજી
આંખનું તેજ જળવાઈ રહે તે માટે ડાયટમાં લીલાં શાકભાજીનો ચોક્કસ સમાવેશ કરો. પાલકની ભાજી આંખ માટે ખૂબ સારી છે. પાલકની ભાજીનો સૂપ કે જ્યૂસ લઈ શકાય. લીલાં શાકભાજીમાં એન્ટી ઓક્સિડેંટ્સ, આયર્ન, વિટામિન જેવાં જરૂરી તત્ત્વ હોય છે જે આંખ માટે ઘણાં જરૂરી છે.
ઈંડાં
ઈંડાંમાં કેલ્શિયમ, સલ્ફર, એમિનો એસિડ, પ્રોટીન અને વિટામિન હોય છે. જે આંખ માટે ઘણું ફાયદાકારક છે. બ્રેકફાસ્ટમાં ઈંડાં ખાવાથી અનેક ફાયદા થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh