બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / ગુજરાત / અમદાવાદ / vasant kashmiri rangat is best real and pure chilly powder for your kitchen
Mayur
Last Updated: 01:21 PM, 28 April 2022
અમદાવાદ: ગુજરાતની મેગા મસાલા બ્રાન્ડ વસંત મસાલાએ 'વસંત કાશ્મીરી રંગત', લાલ મરચાનો પાવડર લોન્ચ કર્યો છે. તેમની ઉત્કૃષ્ટ ઉત્પાદનોની શ્રેણીમાં એક નવો ઉમેરો છે અને ભારતીય ભોજનનો અનહદ સ્વાદ ધરાવે છે. વસંત મસાલા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક અગ્રણી પેકેજ્ડ મસાલા બ્રાન્ડ તરીકે સ્થાપિત થયેલ છે.
વસંત કાશ્મીરી રંગત - લાલ મરચાંનો પાવડર કર્ણાટકના શ્રેષ્ઠ ખેતરોમાંથી વૈજ્ઞાનિક રીતે પસંદ કરાયેલા લાલ મરચાંમાંથી બનાવવામાં આવે છે. ખેતરમાંથી પ્રાપ્ત કર્યા પછી, તેઓને સ્વચ્છ ઉત્પાદન કેન્દ્રમાં પ્રક્રિયા કરવામાં આવે છે અને આરોગ્યપ્રદ પેકિંગમાં પેક કરવામાં આવે છે, જે તેનો તાજો સ્વાદ જાળવી રાખે છે. વસંત કાશ્મીરી રંગત એક અનોખો સ્વાદ ધરાવે છે અને હળવા મસાલેદાર છતાં કુદરતી મીઠા સ્વાદ સાથે ભોજનને એક વિશિષ્ટ સુગંધ આપે છે. તેનો કુદરતી લાલ રંગ ખોરાકને અદ્ભુત દેખાવ અને તાજગી આપે છે. તેમજ આપણને ભરપૂર પોષકતત્વો પણ પ્રદાન કરે છે.
ADVERTISEMENT
ચંદ્રકાંત ભંડારી, MD, વસંત મસાલાના જણાવ્યા અનુસાર, “વસંત કાશ્મીરી રંગત મરચા” પાવડર બનાવવા માટે અમે શ્રેષ્ઠ કુદરતી ઉત્પાદનો પસંદ કરીએ છીએ. અમારા અન્ય ઉત્પાદનોની જેમ તે શુદ્ધ અને ભેળસેળ રહિત છે. અમને વિશ્વાસ છે કે વસંત કાશ્મીરી રંગત મરચાંનો પાવડર સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરેર સોડાની વાનગીઓમાં તાજગી લાવશે. પ્રોડક્ટ લૉન્ચ વખતે બોલતા, ભંડારીજીએ કાશ્મીરી મરચાંની ઓછી તીખાશને કારણે તેના કેટલાક રસપ્રદ સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ કર્યો. આજની જીવનશૈલીમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા છે. એસિડિટી સામાન્ય રીતે મસાલેદાર ખોરાકને કારણે થાય છે. જોકે, વસંત કાશ્મીરી રંગત મરચાંનો પાવડર ઓછો તીખો છે; તેથી તે એસિડિટી થવાની શક્યતા ઘટાડી શકે છે. તે હકીકત છે કે મરચાંમાં ફાયદાકારક કેપ્સેસીન અને વિટામિન A, C અને K હોય છે. વસંત કાશ્મીરી રંગત મરચાંનો પાવડર પોષાય તેવા ભાવે ઉપલબ્ધ છે અને તે 1 કિલો, 500 ગ્રામ અને 200 ગ્રામના પેકમાં પણ ઉપલબ્ધ છે.
વસંત કાશ્મીરી રંગત મરચા પાઉડરનું માર્કેટિંગ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 200થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 40,000 રિટેલર્સના મજબૂત વિતરણ નેટવર્ક દ્વારા કરવામાં આવે છે. વસંત મસાલા બ્રાન્ડેડ મસાલાની નવી ઉત્પાદો લોન્ચ કરવા અને ઉત્પાદન ક્ષમતા અને આધુનિક સુવિધાઓ સાથે આગામી દિવસોમાં નવી શ્રેણીઓમાં વિસ્તરણ કરવાનું આયોજન કરી રહી છે.
વસંત મસાલા વિશે:
વસંત મસાલાની સફર 1970માં શરૂ થઈ જ્યારે શ્રીબાપુલાલજી ભંડારીએ ગુજરાતના નાના ગામ એવા ઝાલોદમાં વસંત ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. અને છેલ્લા 5 દાયકાથી લાખો પરિવારો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશનાં કેટલાક અન્ય પ્રદેશોમાં તેમજ વિદેશોમાં પણ વસંત મસાલા પ્રોડક્ટ્સનો આનંદપૂર્વક ઉપયોગ કરી રહ્યાં છે. તેમના મુખ્ય ઉત્પાદનોમાં મૂળભૂત મસાલા, મિશ્રિત મસાલા, આખા મસાલા, પાઉડર મસાલા અને હિંગનો સમાવેશ થાય છે. વસંત મસાલાને યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને આફ્રિકા જેવા દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે જ્યાં તે તેની અજોડ ગુણવત્તાને કારણે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો:
E-mail: I[email protected]
Telephone: 079 26850140
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT