બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Union minister defected after Kejriwal's serious allegations
Vishal Khamar
Last Updated: 07:04 PM, 15 April 2023
CBI ના સમન્સને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુસ્સે છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દિલ્હીની એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં હાજર થવા માટે બોલાવ્યા છે. દિલ્હીના સીએમ શનિવારે મીડિયા સમક્ષ હાજર થયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ, ઈડીએ કોર્ટમાં ખોટા સોગંદનામા દાખલ કર્યા. કેજરીવાલે દાવો કર્યો હતો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ "મનીષ સિસોદિયા અને મારી વિરુદ્ધ જુબાની આપવા માટે લોકોને ત્રાસ આપી રહી છે". કેજરીવાલે કહ્યું કે તેઓ CBI અને EDના અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરશે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ અંગે ઝાટકણી કાઢી છે. રિજિજુએ ટ્વીટ કર્યું કે 'એ જણાવવાનું ભૂલી ગયા કે જો માનનીય કોર્ટ તમને દોષિત ઠેરવે છે, તો તમે કોર્ટ સામે પણ કેસ દાખલ કરશો. કાયદાએ તેનું કામ કરવું જોઈએ અને આપણને કાયદાના શાસનમાં વિશ્વાસ રાખવો જોઈએ.
Forgot to mention that you will file case against Honble court also if it convicts you. Let law takes it own course & we must believe in rule of law.
— Kiren Rijiju (@KirenRijiju) April 15, 2023
ED, CBI के ख़िलाफ़ कोर्ट जाओगे और अगर कोर्ट भी ख़िलाफ़ गई तो फिर कोर्ट के ख़िलाफ़ भी जाओगे? pic.twitter.com/YAxSqE1bEx
લાઈવ ડીટેક્ટ ટેસ્ટ કરાવવો જોઈએઃ ગૌરવ ભાટિયા
કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભાજપે પણ પોતાનો મોરચો ખોલ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દાવો કર્યો હતો કે સીબીઆઈ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ ડરથી ધ્રૂજી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે જો ડરવાનું કંઈ નથી, તો તેણે 'લાઈવ ડીટેક્ટર ટેસ્ટ' કરાવવો જોઈએ. ભાટિયાએ કહ્યું કે આ સમય નિવેદનબાજીનો નથી, પરંતુ જવાબ આપવાનો છે. ભાટિયાએ કહ્યું કે હાથકડીઓ કેજરીવાલ સુધી પહોંચી રહી છે અને તેઓ ડરી ગયા છે અને ડરથી ધ્રૂજી રહ્યા છે.
16 એપ્રિલે સવારે કેઝરીવાલને સીબીઆઈ ઓફિસ બોલાવવામાં આવ્યા
સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં પૂછપરછ માટે નોટિસ પાઠવી છે. તેમને 16 એપ્રિલે સવારે 11 વાગે સીબીઆઈ ઓફિસ બોલાવવામાં આવ્યા છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે દારૂની નીતિમાં કથિત ગેરરીતિઓ સંબંધિત આ કેસમાં દિલ્હીના સીએમની પૂછપરછ કરવામાં આવશે. EDએ હાલમાં જ મુખ્યમંત્રીના પીએની પણ પૂછપરછ કરી છે. CBI આ કેસમાં 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir