રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વિરાટ કોહલી પણ ટીમનો એક ભાગ છે.
Asia Cup પહેલા ગુજરાતી સ્ટાર ક્રિકેટર સહિત બે ખેલાડીઓ બહાર
જસપ્રીત બુમરાહ-હર્ષલ પટેલ ઈજાગ્રસ્ત હોવાથી એશિયા કપમાં નહીં રમી શકે
શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા: BCCI
ભારત દ્વારા એશિયા કપ 2022 માટે ટીમની જાહેરાત કરી દેવાઈ છે. જોકે તેમાં ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનો સમાવેશ નથી કરવામાં આવ્યો. વાત જાણે એમ છે કે, આ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી એશિયા કપમાં રમી શકશે નહીં. જેને એશિયા કપ પહેલા જ ભારતને મોટો આંચકો કહી શકાય છે. નોંધનીય છે કે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વિરાટ કોહલી પણ ટીમનો એક ભાગ છે.
શું કહ્યું BCCIએ ?
BCCIએ જણાવ્યું હતું કે, ફાસ્ટ બોલર બુમરાહ અને હર્ષલ ઈજાગ્રસ્ત છે. આ કારણથી તેને એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટીમની જાહેરાત કરવાની સાથે જ BCCIએ ટ્વિટર પર આ જાણકારી આપી. બોર્ડે લખ્યું, “જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. હાલમાં તે બેંગ્લોરમાં એનસીએમાં પુનર્વસન હેઠળ છે. ત્રણ ખેલાડીઓ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે.
Notes -
Jasprit Bumrah and Harshal Patel were not available for selection owing to injuries. They are currently undergoing rehab at the NCA in Bengaluru.
Three players - Shreyas Iyer, Axar Patel and Deepak Chahar have been named as standbys.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શરૂ થશે. તેની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટથી પાકિસ્તાન સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરે યોજાશે.
🚨#TeamIndia squad for Asia Cup 2022 - Rohit Sharma (Capt ), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (wk), Dinesh Karthik (wk), Hardik Pandya, R Jadeja, R Ashwin, Y Chahal, R Bishnoi, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Avesh Khan.