બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / સ્પોર્ટસ / Cricket / This veteran player of Team India may enter the World Cup, once he refused to play in the Asia Cup.
Megha
Last Updated: 03:10 PM, 28 September 2023
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી જીતી લીધી છે અને હવે મિશન વર્લ્ડ કપ શરૂ થશે. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે ટીમો 28 સપ્ટેમ્બર સુધી પોતાના ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે. એટલે કે 28 સપ્ટેમ્બર સુધીમાં તમામ ટીમોએ પોતાના અંતિમ 15 ખેલાડીઓ ICCને સોંપવાના છે. એવામાં આજે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થઈ શકે છે.
આજે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થઈ શકે
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જે ખેલાડીએ એશિયા કપ રમવાનો ઇનકાર કર્યો હતો તેને ભારતીય વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ આર અશ્વિન છે જે વર્લ્ડ કપની ટીમમાં પ્રવેશનો મોટો દાવેદાર છે. એવામાં અક્ષર પટેલની ઈજાના કારણે અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે.
અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવશે?
અશ્વિનનો ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં તક મળી શકે તે નક્કી થઈ ગયું છે. તે જ સમયે, હવે ટીમના કોચ રાહુલ દ્રવિડે અશ્વિનની ODI ટીમમાં વાપસીને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે
રાહુલે કહ્યું કે, "આપણે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે...NCA પસંદગીકારો અને અજીત અગરકરના સંપર્કમાં છે તેથી હું તેના પર ટિપ્પણી કરીશ નહીં... જો કોઈ ફેરફાર થશે તો તમને હવે સત્તાવાર સૂચના મળશે. હાલ કોઈ ફેરફાર નથી."
અશ્વિને એશિયા કપની ફાઈનલ રમવાની ના કહી
દિનેશ કાર્તિકે એક ખુલાસો કરતાં કહ્યું હતું કે અશ્વિનને ખબર પડી કે એશિયા કપની ફાઈનલ રમવા જઈ રહ્યો છે પરંતુ તેણે આ મેચ રમવાની ના પાડી દીધી. તેણે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટને કહ્યું કે તે હજુ ODI મેચ માટે તૈયાર નથી. આ જ કારણ છે કે એશિયા કપ ફાઈનલ માટે વોશિંગ્ટન સુંદરને અચાનક શ્રીલંકા બોલાવવામાં આવ્યો હતો. હવે જોઈએ કે વર્લ્ડ કપની ટીમમાં શું ફેરફાર થાય છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir