બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These things will relieve the problem of stomach upset within minutes the cow will get gas
Vishal Dave
Last Updated: 04:49 PM, 20 February 2024
જંક ફૂડ અને ઓઈલી ફૂડના વધુ પડતા સેવન જેવી આજની બદલાયેલી ખાનપાનની આદતોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેનાથી રાહત મેળવવા માટે આપ આ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો..
આજકાલ લોકોમાં ગેસ અને એસિડિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની રહી છે. સામાન્ય રીતે દરેક બીજી વ્યક્તિ એસિડિટીની સમસ્યાથી પરેશાન હોય છે અને જે વ્યક્તિ તેનો સામનો કરી રહી હોય તે જ આ સમસ્યા સમજી શકે છે... એસીડીટી અને ગેસની સમસ્યા માટે આમ તો ઘણા કારણો જવાબદાર છે..પરંતુ એવું માનવામાં આવે છે કે તળેલું અને મસાલેદાર ખોરાક ખાવાથી અથવા અન્ય કોઈ કારણોસર એસિડિટી થઈ શકે છે.
ઘરગથ્થુ ઉપચારથી મટી શકે છે ગેસ અને એસીડીટી
એસિડિટીના કારણે પેટમાં ગેસ બનવા લાગે છે. જેના કારણે વ્યક્તિને પેટ અથવા માથાનો દુખાવો અને બળતરા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ગેસની ગોળીઓ લીધા વગર રાહત મળતી નથી.. પરંતુ ઘણા લોકો તેને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપચાર અપનાવે છે. જેમ કે ઘણા પ્રકારના પીણાં તમને એસિડિટી અને ગેસ ઘટાડવામાં મદદ કરી શકે છે.
ઠંડુ દૂધ
કહેવાય છે કે જો એસિડિટીની સમસ્યા હોય તો ઠંડુ દૂધ પીવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. પરંતુ ધ્યાન રાખો કે જ્યારે એસીડીટીમાંથી રાહત મેળવવા માટે દૂધ પીતા હોય ત્યારે તેમાં ખાંડ કે કોઈપણ પ્રકારનો પાવડર ન નાખવો.
લીંબુ અને સોડા
એસિડિટીની સમસ્યામાં જો તમે પાણીમાં લીંબુનો રસ , કાળું મીઠું અને સોડા મિક્સ કરીને પીવો છો તો તે એસિડિટીની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે.
હીંગ
એસિડીટીની અસર ઘટાડવા માટે હીંગને પણ વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. તે પાચન તંત્રને શાંત કરવામાં મદદ કરે છે. તેથી તમે હીંગનું પાણી પણ પી શકો છો. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમના માટે શાક બનાવતી વખતે હિંગ નાખીને ખાવાથી ફાયદો થાય છે.
છાશ
ગેસની સમસ્યા હોય તો તમે છાશ પણ પી શકો છો. આને પીવાથી તમે પેટમાં થતી બળતરાથી પણ રાહત મેળવી શકો છો. જો તમે ઘરે છાશ બનાવીને પીશો તો તે તમારા માટે સારું રહેશે. પરંતુ ધ્યાનમાં રાખો કે આવા ઘરગથ્થુ ઉપચારો અજમાવતા પહેલા, ચોક્કસપણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir