બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અજબ ગજબ / સુરત / The principal punished himself to make the students realize their mistake
Khyati
Last Updated: 12:44 PM, 21 March 2022
શાળા અને શિક્ષક. આ બંને આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવામાં શિક્ષકનો ફાળો અગત્યનો હોય છે. કારણ કે બાળક શાળામાંથી જ જીવનના પાઠ શીખે છે. મા બાપ જેવા સંસ્કાર આપે તેવુ બાળક વર્તન કરે. અને શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષક જે શીખવે તેની પરથી બાળકની કારકિર્દી ઘડાય. ત્યારે સુરતમાં એક એવી ઘટના બની કે તમે કહી ઉઠશો કે ખરેખર, નમન છે આ ગુરુને, જો આવા ગુરુ દરેક વિદ્યાર્થીઓને મળી જાય તો વિદ્યાર્થીની જિંદગી સુધરી જાય.
વિદ્યાર્થીઓના ભૂલની સજા આચાર્યએ ભોગવી
શાળામાં વિદ્યાર્થીઓ કંઇ ભૂલ કરે અથવા તો કોઇ નાની અમથી વાત પર વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર માર્યાના બનાવો સામે આવે છે. પછી તે બાળક નાનુ હોય કે માધ્યમિક ધોરણમાં ભણતુ કેમ ન હોય ? ઘણી વખત શિક્ષકોની આવી ક્રૂર હરકતને લીધે વિદ્યાર્થીને હોસ્પિટલ ભેગો કરવાનો વારો આવે છે. ત્યારે સુરતના આચાર્યના આ નવીનત્તમ અભિગમે એક નવુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. વાત જાણે એમ હતી કે સુરતના અડાજણની વિદ્યાકુંજ શાળામાં કેટલાક તોફાની વિદ્યાર્થીઓએ શાળાના વૉશરુમમાં તોડફોડ કરી. પાછું કોઇ વિદ્યાર્થી પોતાની ભૂલ માને ખરા ? તો શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓ પોતે પોતાની ભૂલ કબૂલ કરે તે માટે નવો કિમીયો અજમાવ્યો.
આખરે વિદ્યાર્થીઓનું દિલ પીગળ્યું
વિદ્યાકુંજ શાળાના આચાર્ય મહેશ પટેલે વિદ્યાર્થીઓને પોતાની ભૂલનો અહેસાસ કરાવવા માટે પોતાને જ સજા આપી. શાળામાં આ ઘટના બાદ આચાર્ય મહેશ પટેલે જાહેરાત કરી કે તેઓ બુટ ચંપલ નહી પહેરે. આવી હરકત બદલ વિદ્યાર્થીઓને ભૂલનો અહેસાસ કરાવવા આચાર્ય છેલ્લા 14 દિવસ સુધી બુટ ચંપલ પહેર્યા વિના રહ્યા. તેઓ FRCમાં પણ સભ્ય હોવાથી ગાંધીનગર પણ બુટ ચંપલ પહેર્યા વિના જ જતા.આવુ સતત ચાલતુ રહ્યું. આકરા તાપમાં ચંપલ વિના આચાર્યને ફરતા જોઇને આખરે વિદ્યાર્થીઓનું દિલ પીગળ્યુ . જે વિદ્યાર્થીઓએ વૉશરૂમમાં તોડફોડ કરી હતી તે વિદ્યાર્થીઓએ સામે ચાલીને પોતાની ભૂલની કબૂલાત કરી અને માફી પણ માગી.
આચાર્યની ગાંધીગીરી ફળી
વિદ્યાકુંજ શાળાના શિક્ષકની જેમ અન્ય શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ બોધપાઠ લેવાની જરુર છે. બાળકને શારિરીક સજા કર્યા વિના પણ તેને પોતાની ભૂલનો અહેસાસ કરી શકાય છે કે આચાર્ય મહેશ પટેલે સાબિત કરી બતાવ્યું છે.અહિંસક રીતે પોતાની વાતને સત્યાગ્રહરુપે રજૂ કરવાનો આ પ્રયાસ ખરેખર ગાંધીગીરીની યાદ અપાવી ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir