બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The people of Jain Sangh created an uproar at Dattatreya Shikhar in Junagadh Girnar

જૂનાગઢ / દત્તાત્રેય શિખર વિવાદ: મંદિરમાં કરેલા સૂત્રોચ્ચાર બાદ સનાતની સંતો આક્રોશમાં, કહ્યું 'આ વસ્તુ યોગ્ય નથી'

Malay

Last Updated: 08:48 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: ગિરનારમાં દત્તાત્રેય શિખર પર જૈન સંઘના લોકોએ મચાવ્યો હોબાળો, દત્તાત્રેયની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ કરતા સાધુ-સંતો લાલઘુમ

  • જૂનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો
  • દત્તાત્રેય શિખર પર હલ્લાબોલ બાદ વિવાદ 
  • જૈન સાધુઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયોનો આરોપ 
  • ધાર્મિક વિખવાદ ફેલાવવાનો આરોપ 

Junagadh News: જૂનાગઢમાં જૈન-હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો છે. રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવતા અને 'ગિરનાર અમારો છે' તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ગિરનાર વિવાદને લઇને ભારતી આશ્રમના મહંત ભારતી હરિયાનંદ બાપુનું નિવેદન સામે આવ્યું છે. 

...તો સંતો પણ શાંતિથી નહીં બેસેઃ હરિયાનંદ બાપુ
હરિયાનંદ બાપુએ જણાવ્યું કે, હાલ સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી કોર્ટ મુજબ ચાલવું જોઇએ. દત્તાત્રેય શિખર પર વારંવાર અશાંતિ ફેલાવવાના પ્રયાસો થઇ રહ્યો છે. જો આવું ફરી થશે તો અમે શાંત નહીં બેસીએ. 

આ ઘટના ખૂબ જ દુઃખદ છેઃ જૈન અગ્રણી
જૈન અગ્રણી કિરીટ સંઘવીએ કહ્યું કે, 200થી 250 જૈન સંઘના લોકો આવ્યા હતા, તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા.  વાસ્તવિક રીતે ગઈકાલે ત્યાં શું થયું હતું તે આપણે ચોક્કર રીતે કહી શકીએ નહીં. કારણ કે ત્યાં એક પૂજારી હોય છે અને એક પોલીસકર્મી હોય છે બીજું કોઈ હોતું નથી. ત્યાં શું થયું હતું તે પોલીસ તપાસનો વિષય છે, એટલે અત્યારે કહી શકાય નહીં. પરંતુ આ જે ઘટના બની રહી છે તે ખૂબ જ દુઃખદ છે. આ પ્રશ્નનો ઉકેલ કોર્ટ કે પોલીસ તપાસથી નહીં આવે, બંને પક્ષના મોટા સંતો આનો ઉકેલ લાવશે તો આ મામલો ઉકેલાશે. 

 

શું બની હતી સમગ્ર ઘટના?
આપને જણાવી દઈએ કે, ગઈકાલે જૈન સંઘના લોકોએ શિખર પર હોબાળો મચાવ્યો હતો અને ગુરુ દત્તાત્રેયની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જૈન સંઘના કૃત્યથી સાધુ-સંતો અને ભવનાથના સંતો લાલઘુમ થયા છે. 

ગિરનારમાં દત્તાત્રેય શિખરનો વિવાદ શું છે?
ગિરનારમાં દત્તાત્રેય શિખરને લઈને ચાલી વિવાદ ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર પર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈન માને છે શિખર પર જે પગલા છે તે નેમીનાથના છે. દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં બંને પક્ષે સામસામે દાવો પણ કર્યો છે. કોર્ટે વિવાદાસ્પદ પ્રવૃત્તિ ન કરવા હુકમ કર્યો છે. કોર્ટે જૈનને પૂજા કરવાની સત્તા આપી નથી. સદીઓથી હિન્દુ સંસ્થા દત્તાત્રેય શિખર પર પૂજા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ