બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 10:20 PM, 16 August 2023
છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. આવી સ્થિતિ વચ્ચે એનસીપીના નેતા શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું છે. આ મામલે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે એવો દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા અજિત પવાર મારફતે શરદ પવાર અથવા તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવાની ઓફર આપવામાં આવી છે. બીજી બાજુ સુપ્રિયા સુલેએ આ નિવેદન પર પલટવાર કર્યો હતો.
હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી...
સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે આ પ્રકારની કોઈ જ ઓફર કે પ્રસ્તાવ મળ્યો નથી અને ન તો તેઓ કોઈના સંપર્કમાં હોવાની પણ ચોખવટ કરી હતી. કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન અંગે ન તો કોઈ ચર્ચા થઈ છે અને ના તો કોઈ ઓફર મળી છે. તેમણે કહ્યું કે મનેએ નથી સમજાતું કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કેમ આપી રહ્યા છે. હું કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડકે અને ગૌરવ ગોગાઈના સતત સંપર્કમાં છું. જોકે હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી. એ અંગે પણ જણાવ્યું હતું.
કોંગ્રેસ નેતાએ ગુપ્ત બેઠક પર સવાલ ઉઠાવ્યા
આ અગાઉ કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે બેઠક પર સવાલો ઉઠાવ્યા હતા આવી બેઠક લોકોમાં ભ્રમ ઉભો કરતી હોવાની વાત કરી હતી. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાને અજિત પવારને મહારાષ્ટ્રના સીએમ બનાવવા માટેની ખાતરી સાથે તેમના કાકાને કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ માં જોડાવા માટે સમજાવવા પડશે.તેવું પણ કહ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir