બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The habit of eating at midnight will make the body a house of diseases
Pooja Khunti
Last Updated: 10:29 AM, 28 January 2024
ઘણા લોકોને અળધી રાત્રે ભૂખ લાગતી હોય છે અથવા તો અળધી રાત્રે ખાવાની આદત હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક આદત છે. રાત્રે ભૂખ સંતોષવા માટે, લોકો ઘણીવાર બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાય છે. જેમકે પિઝા, બર્ગર, ઇન્સ્ટન્ટ ફૂડ, કૂકીઝ અથવા ચિપ્સ. આ ખોરાક ખાવાથી તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલીક ટિપ્સ વિશે જાણો.
ખાવા-પીવાનો સમય નક્કી કરો
તમારા ખાવાનો સમય નક્કી હોવો જોઈએ. ખોટા સમયે ખાવા-પીવાથી તમારી બોડી ક્લોક ખરાબ થઈ શકે છે. જે મોડી રાત્રે ભૂખ લાગવાનું એક મોટું કારણ છે. આખા દિવસ દરમિયાન ખાવા-પીવા માટે એક નિશ્ચિત સમય હોવો જોઈએ અને રાત્રિભોજન અને રાત્રે સૂવાની વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રાખવું જોઈએ. આ દિનચર્યાને અનુસરવાથી તમને મોડી રાત્રે ભૂખ નહીં લાગે.
વાંચવા જેવું: જમ્યા પછી તરત સૂઈ જતાં લોકો ચેતજો! BP-ડાયાબિટીઝ, ગેસથી બચવું હોય તો કરો આ કામ
તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો
અળધી રાત્રે લાગતી ભૂખથી છુટકારો મેળવવા માટે તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો. તેનું કારણ એ છે કે તમારા પાચન તંત્રને પ્રોટીન પચાવવામાં સમય લાગે છે. જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે રાત્રે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી બચી શકો છો.
રાત્રે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી અંતર રાખો
ઘણીવાર લોકો રાત્રે મોબાઈલ કે ટીવી જોતા જ કંઈક ખાવાનું શરૂ કરી દે છે. જો તમે પણ આવું કરો છો તો તમારે તેનાથી બચવાની જરૂર છે. જો તમે જમતી વખતે માત્ર ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમે વધુ પડતું ખાવાનું ટાળી શકો છો. આને માઇન્ડફુલ ઇટિંગ કહેવામાં આવે છે. જેથી અળધી રાત્રે ભૂખ લાગતી નથી.
ચાવવું અને ખાવું
વડીલો કહેતા આવ્યા છે કે ભોજન કરતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ. ઘણા લોકો ઉતાવળમાં ભોજન કરી લે છે. જેના કારણે તેમની ભૂખ સંતોષાતી નથી. ધ્યાનમાં રાખો કે જમતી વખતે, ખોરાકને સારી રીતે ચાવવો જોઈએ. તેનાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir