બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The employees of Anganwadis in Navsari taluka have presented not to distribute grants

ચીમકી / ગ્રાન્ટ માટે તરસી રહી છે નવસારીની આંગણવાડી: પગારમાંથી નાસ્તો કરાવતા વર્કર્સે કહ્યું- અમારા બાળકોનું શું?

Vishal Khamar

Last Updated: 11:52 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક તરફ કુપોષિત બાળકોનાં આંકડામાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ આંગણવાડીઓમાં ગ્રાન્ટ ન મળતા કર્મચારીઓ ચિંતિત બન્યા છે. ત્યારે પોતાના પગારમાંથી આંગણવાડીની બહેનો બાળકો માટે ભોજન બનાવે છે.

  • ગ્રાન્ટ વગર પોષણ કેમ મળશે?
  • આંગણવાડીઓમાં નથી મળી ગ્રાન્ટ 
  • એક વર્ષથી રાજ્ય સરકારની ગ્રાન્ટ નથી મળી

 રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. બીજી તરફ બાળકોને કેમ પોષણક્ષમ આહર નથી મળતો તેનો ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. આપણે વાત નવસારી જિલ્લાની કરી રહ્યા છીએ. જ્યાં આંગણવાડીમાં શિડ્યુલ કાસ્ટના બાળકો માટે દોઢ વર્ષથી ગ્રાન્ટ જ ફાળવવામાં ન આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. અને હવે આંગણવાડી કર્મચારીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે.

5 કલાક 70 હજાર કુપોષિત બાળકો
આ આંકડો દેશનો નહી આપણા ગુજરાતનો છે. જે તાજેતરમાં જ વિધાનસભામાં જાહેર થયો છે. પરંતું આ વધતા કુપોષણના આંકડા પાછલ ક્યાં કારણ જવાબદાર હોય તેવો કિસ્સો દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાં નવસારી જીલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકારે ગ્રાન્ટ જ ફાળવી નથી. અને આ ગ્રાન્ટના 80 લાખથી વધુ રૂપિયા ફાળવવાના બાકી છે. 

એટલે કે, એક આંગણવાડી દીઢ 80 થી 90 હજાર ગ્રાન્ટ ફાળવવાની બાકી છે. જેના કારમે હાલ સ્થિતિ એવી બની છે કે, આંગણવાડી કર્મચારીઓને પોતાના રૂપિયાથી બાળકોને ભોજન કરાવવાનો વારો આવ્યો છે. જેને લઈને હવે કર્મચારીઓએ 17 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. અને જો ગ્રાન્ટ ફાળવવામાં નહી આવો તો આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

વધુ વાંચોઃ સ્કૂલવાનમાં સુરક્ષિત નથી ગુજરાતની દીકરીઓ: વડોદરામાં પણ સામે આવ્યો કેસ, અડપલાં કરતો હતો આધેડ

આંગણવાડીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી 50-50 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તો મળી ગઈ છે. પરંતું રાજ્ય સરકારની ગ્રાન્ટ મળી નથી. તેમાં પણ ત્રણ કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં માત્ર ટ્રાયબલ વિભાગની એટલે કે, હળપતિ બાળકો માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જેને લઈને આંગણવાડી કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ