બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The employees of Anganwadis in Navsari taluka have presented not to distribute grants
Vishal Khamar
Last Updated: 11:52 AM, 10 February 2024
રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. બીજી તરફ બાળકોને કેમ પોષણક્ષમ આહર નથી મળતો તેનો ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. આપણે વાત નવસારી જિલ્લાની કરી રહ્યા છીએ. જ્યાં આંગણવાડીમાં શિડ્યુલ કાસ્ટના બાળકો માટે દોઢ વર્ષથી ગ્રાન્ટ જ ફાળવવામાં ન આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. અને હવે આંગણવાડી કર્મચારીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે.
5 કલાક 70 હજાર કુપોષિત બાળકો
આ આંકડો દેશનો નહી આપણા ગુજરાતનો છે. જે તાજેતરમાં જ વિધાનસભામાં જાહેર થયો છે. પરંતું આ વધતા કુપોષણના આંકડા પાછલ ક્યાં કારણ જવાબદાર હોય તેવો કિસ્સો દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાં નવસારી જીલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકારે ગ્રાન્ટ જ ફાળવી નથી. અને આ ગ્રાન્ટના 80 લાખથી વધુ રૂપિયા ફાળવવાના બાકી છે.
એટલે કે, એક આંગણવાડી દીઢ 80 થી 90 હજાર ગ્રાન્ટ ફાળવવાની બાકી છે. જેના કારમે હાલ સ્થિતિ એવી બની છે કે, આંગણવાડી કર્મચારીઓને પોતાના રૂપિયાથી બાળકોને ભોજન કરાવવાનો વારો આવ્યો છે. જેને લઈને હવે કર્મચારીઓએ 17 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. અને જો ગ્રાન્ટ ફાળવવામાં નહી આવો તો આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વધુ વાંચોઃ સ્કૂલવાનમાં સુરક્ષિત નથી ગુજરાતની દીકરીઓ: વડોદરામાં પણ સામે આવ્યો કેસ, અડપલાં કરતો હતો આધેડ
આંગણવાડીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી 50-50 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તો મળી ગઈ છે. પરંતું રાજ્ય સરકારની ગ્રાન્ટ મળી નથી. તેમાં પણ ત્રણ કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં માત્ર ટ્રાયબલ વિભાગની એટલે કે, હળપતિ બાળકો માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જેને લઈને આંગણવાડી કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir