બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Thakor's devotional path of Dakor becomes 'Vikatpath' for pedestrians, millions of rupees in water
Mehul
Last Updated: 06:01 PM, 14 March 2022
ધુળેટી આવી રહી હોઈ 'ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે..' અને 'જય રણછોડ, માખણચોર.'ના ગગનભેદી નારા સાથે ગુજરાતભરના પગપાળા શ્રદ્ધાળુઓ રોજેરોજ હજારોની સંખ્યામાં ડાકોરના ઠાકોરનાં દર્શનાર્થે જશે. ફાગણી પૂનમ નિમિત્તે ભક્તિના હિલોળા લેતા પગપાળા ચાલીને કાળિયા ઠાકરનાં દર્શન કરવા જવાનું અનેરું મહત્ત્વ છે. અમદાવાદમાંથી છેલ્લા બે દિવસથી ડાકોર તરફ શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ થયો છે, જે આવનારા ત્રણ-ચાર દિવસમાં ચરમસીમાએ જઈ પહોંચશે. જોકે ડાકોરના રણછોડરાયનો 'ભક્તિપથ' હજારો પગપાળા શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલીભર્યો એવો 'વિકટપથ' બન્યો છે.
ભક્તિ પથ બન્યો કંટક માર્ગ
અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના જશોદાનગર સર્કલથી ડાકોર પગપાળા જનારા હજારો શ્રદ્ધાળુઓ માટેના રસ્તાને છેક મધુબહેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતાં તે સમયથી ભક્તિપથ જાહેર કરાયો છે. ભક્તિપથ પર થઈને જનારા હજારો શ્રદ્ધાળુઓને રસ્તા પર વિવિધ પ્રકારની સુવિધાઓ મળે, જેનાથી ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે ડાકોરનાં ઠાકોરનાં દર્શન સરળ અને સુગમ બને તેવો આશય ભાજપના શાસકોનો રહ્યો હોઈ તે આજની સ્થિતિએ મહદ્અંશે કંટકપથ બન્યો છે.
મ્યુનિ. તિજોરીમાંથી ભક્તિપથના નવીનીકરણ માટે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા હોઈ છેક વર્ષ 2019માં નિરમાનાળાથી એસપી રિંગ રોડના હાથીજણ સર્કલ સુધીના રસ્તાને વિકસિત કરવાનું કામ હાથ પર લેવાયું હતું, જેમાં રૂ. ચાર કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ હોઈ આ રસ્તાને તૈયાર કરાયો છે. હવે આશરે 4.5 કિમી લાંબા રસ્તાને 24 મીટર પહોળો કરીને રસ્તાની ધાર પર નાના છોડ વાવીને ગ્રીનપેચ તૈયાર કરવું તેમજ ફૂટપાથ નખાઈ રહી છે. ડિવાઇડર પર સ્ટ્રીટ લાઇટ નખાઈ રહી છે.
જ્યારે જશોદાનગર બ્રિજથી ત્રિકમપુરા પાટિયા થઈને નિરમાનાળા તરફ જતા દોઢ કિમી લાંબા રસ્તાનું નવીનીકરણ થઈ રહ્યું હોઈ શ્રદ્ધાળુઓને જૂના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આશરે દોઢ કિમી લાંબા આ રસ્તાને રૂ. છ કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાઈ રહ્યા છે.
કામ અધૂરા
જશોદાનગર બ્રિજ પાસેના ટોરેન્ટના જૂના ટાવર તેમજ દબાણોને પહેલાં હટાવીને તેને 16 મીટરને બદલે 24 મીટર પહોળાઈનો બનાવાઈ રહ્યો છે. હાલમાં રસ્તાના વિસ્તૃતિકરણનું કામ ચાલતું હોઈ તંત્ર દ્વારા બેઝવર્કનું કામ મહદ્અંશે આટોપી લેવાયું છે. હવે ટૂંક સમયમાં તેના પર પેવરકામ કરાશે. આ રસ્તાનું કામ હાલમાં ચાલી રહ્યું હોઈ તેના પછી ડિવાઇડર તૈયાર કરીને તેમાં સ્ટ્રીટલાઇટ બેસાડાશે, જ્યારે જૂના રોડ પરની ફૂટપાથની સ્ટ્રીટલાઇટ અત્યારે શ્રદ્ધાળુઓને ઉપયોગી બનશે.
નવીનીકરણ
ત્રિકમપુરા પાટિયા વિસ્તાર વરસાદી પાણીમાં જળબંબોળ થતો હોઈ તંત્ર દ્વારા નવી કેચપિટો બનાવવા સહિત સ્ટ્રોમ વોટર ડ્રેઇનનું કામ હાથ પર લેતાં રસ્તાના કામમાં વિલંબ થયો હોવાનું જાણવા મળે છે.રસ્તો તૈયાર થયા બાદ બાંકડા મુકાશે અત્યારે તંત્રે સમગ્ર ભક્તિપથના નવીનીકરણ પર ખાસ ભાર મૂક્યો છે. ભક્તિપથ 24 મીટર પહોળો થઈને તેના ડીવાઇડર પર સ્ટ્રીટલાઇટ મુકાય તેમજ ફૂટપાથ તૈયાર થયા બાદ તંત્ર બાંકડા મૂકશે. તંત્ર દ્વારા આકર્ષક ડેકોરેટિવ બાંકડા મૂકવાની વિચારણા ચાલી રહી છે.
મેડિકલ કેમ્પ, મેડિકલ વાન, પાણીનાં ટેન્કરની વ્યવસ્થા
તંત્ર દ્વારા નિરમાનાળાની આગળ મેડિકલ કેમ્પ ઊભો કરાયો છે. ત્યાં એક મેડિકલ વાન મુકાઈ છે. શ્રદ્ધાળુઓને પીવાનાં પાણીની તકલીફ ન પડે તે માટે પાણીનું એક ટેન્કર સતત ફરતું રહેશે. સ્વચ્છતા માટે 100 સફાઈકર્મી, એક છોટા હાથી, એક 407 ટ્રક, કોમ્પેક્ટર તહેનાત રખાયાં છે. જશોદાનગર ફાયર સ્ટેશનને કોઈ પણ જાતની આગ-અકસ્માતની દુર્ઘટના માટે એલર્ટ રખાયું છે. મેડિકલ કેમ્પની બાજુમાં મોબાઇલ ટોઈલેટ વાનની વ્યવસ્થા પણ લોકો માટે કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir