બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya rashi parivartan 2023 sun transit in gemini or mithun these rashi will be lucky

Surya Gochar 2023 / આ તારીખ બાદ રાતોરાત ચમકી જશે આ જાતકોનું કિસ્મત, કારણ ગ્રહોના રાજાનું થશે મિથુન રાશિમાં ગોચર

Manisha Jogi

Last Updated: 01:15 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, પિતા, રાજનીતિ માટે ઓળખવામાં આવે છે. કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો પદ તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

  • ગ્રહોના રાજા સૂર્ય દેવતા રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે
  • સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર થશે
  • આ રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય

ગ્રહોના રાજા સૂર્ય દેવતા રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્ય 15 જૂનના રોજ સાંજે 06:07 વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 16 જુલાઈ સુધી આ જ રાશિમાં રહેશે, ત્યાર પછી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી માનવ જીવન પર અસર થશે. સૂર્ય ઊર્જાનો પ્રાકૃતિક સ્ત્રોત છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, પિતા, રાજનીતિ માટે ઓળખવામાં આવે છે. કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો પદ તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર થશે. કઈ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી જશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ
મેષ રાશિના તૃતીય ભાવમાં સૂર્યનું ગોચર થશે, જેના કારણે યાત્રાનો યોગ બની રહ્યો છે. સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે. લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. નવી વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. કાર્યોમાં લાભ થશે. બિઝનેસમાં પ્રગતિ થશે. ઓફિસમાં સહકર્મીઓના સારા વ્યવહારને કારણે ફાયદો થશે. 

સિંહ
સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ કાર્યોમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. સફળતાનો યોગ બની રહ્યો છે. જે કામ કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. દુશ્મનો પરાસ્ત થશે. સમાજમાં મોભીઓના સહયોગ પ્રાપ્ત થશે અને માન સમ્માનમાં વૃદ્ધિ થશે. ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. 

કન્યા
ઓફિસમાં સફળતા પ્રાપ્ત થશે. કરિઅરમાં પ્રગતિ થશે. નોકરીમાં પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. કાર્યકુશળતામાં વૃદ્ધિ થશે. નવા મિત્રોનો સાથ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં આવીને અયોગ્ય નિર્ણય ના લેવો. 

કુંભ
નવું કાર્ય શરૂ કરવા માટે યોગ્ય સમય રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. આરોગ્ય સારું રહેશે. જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે. બિઝનેસમાં પ્રગતિ થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. 

આ રાશિઓએ સાવચેત રહેવું
સૂર્યના રાશિ પરિવર્તન દરમિયાન મિથુન, કર્ક, તુલા અને મીન રાશિના જાતકોએ સાવધાન રહેવું. આરોગ્ય જોખમાઈ શકે છે. જે પણ કામ થતા હશે તેમાં અડચણ આવી શકે છે. ખર્ચા વધી શકે છે. વધુ મહેનત અને કોશિશ કરવાથી સફળતા મળવાની સંભાવના છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ