બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Megha
Last Updated: 10:10 AM, 27 January 2024
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કિસ્સાઓ બનતા રહે છે જેમાં કલાકાર શરૂઆતમાં કોઈ રોલ કરવા માંગતા ન હોય પરંતુ પછીથી તે પાત્ર તેની ઓળખ બની જાય છે. બીઆર ચોપરાની મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યની ભૂમિકામાં જોવા મળેલા સુરેન્દ્ર પાલ સાથે પણ આવું જ થયું હતું. એક વાતચીત દરમિયાન એમને કહ્યું હતું કે તેઓ પહેલા દ્રોણાચાર્યનો રોલ કરવા નહતા માંગતા કર કે તેઓ મોટા પડદા પર હીરો તરીકે આવવા માંગતા હતા.
બીઆર ચોપરાની 'મહાભારત'માં દ્રોણાચાર્યની ભૂમિકા ભજવનાર સુરેન્દ્ર પાલે એક રસપ્રદ કિસ્સો સાંભળાવતા કહ્યું કે પહેલા એમને દ્રોણાચાર્યનો રોલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કારણ કે તે પડદા પર 'વૃદ્ધ વ્યક્તિ'નો રોલ કરવા નહતા માંગતા, જો કે આ બાદ બીઆર ચોપરાએ સુરેન્દ્ર પાલને દ્રોણાચાર્યનું મહત્વ સમજાવ્યું હતું અને આ દરમિયાન એમને લાંબા સમય સુધી અભિનેતા પર બૂમો પાડી હતી ત્યારબાદ સુરેન્દ્ર પાલ એમની સામે રડવા લાગ્યા હતા.
એક એક ઈન્ટરવ્યુમાં સુરેન્દ્ર પાલે કહ્યું હતું કે, 'ગુફીર મને ફોન કર્યો અને કહ્યું કે તેની પાસે મારા માટે એક રોલ છે. બીજા દિવસે જ્યારે હું ગયો ત્યારે તેઓએ કહ્યું કે કાસ્ટિંગ થઈ ગયું છે. પરંતુ મહાભારતમાં દ્રોણાચાર્યની ભૂમિકા છે. હવે આ રોલ સાંભળીને હું નિરાશ થઈ ગયો હતો. મને એવું લાગતું હતું કે મને એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા આપવામાં આવી રહી છે. હું હીરો બનવા આવ્યો છું. હું સુંદર છુ. મેં વિચાર્યું કે મારી કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે. મેં તેને કહ્યું કે હું આ વૃદ્ધની ભૂમિકા ભજવી શકતો નથી અને હું ત્યાંથી ચાલ્યો ગયો.'
મેં ગૂફી પેન્ટલને સ્પષ્ટપણે કહ્યું હતું કે હું વૃદ્ધ માણસનો રોલ કરી શકતો નથી. આટલું કહીને હું સેટ છોડીને ચાલતો થયો એવામાં એક માણસ દોડતો મારી પાસે આવ્યો અને કહ્યું કે બીઆર ચોપરાએ મને તેમની ઓફિસમાં બોલાવ્યો છે. તે મીટિંગ દરમિયાન, બી.આર. ચોપરાએ મને જોઇને પહલી વાત જ એમ કહી કે મને મારા દ્રોણાચાર્ય મળી ગયા.. પરંતુ એ સમયે તેઓ આ બોલ્યા તે મને નહતું ગમ્યું.
મે તુરંત જ એમને કહ્યું કે, 'સર, હું તમને કંઈક કહેવા માંગુ છું. હું વૃદ્ધ માણસની ભૂમિકા ભજવી શકતો નથી. મારી વાત સાંભળીને બીઆર ચોપરા ગુસ્સે થઈ ગયા. પછી તેણે કહ્યું- તમે શું કહ્યું? દ્રોણાચાર્ય વૃદ્ધ હતા? તે આર્મી જનરલ હતા અને તે 10 અર્જુન અને 10 દુર્યોધન બનાવી શક્યા હોત.' એ સમયે બીઆર ચોપરા લાંબા સમય સુધી મારા પર બૂમો પાડતા રહ્યા. તેની વાત સાંભળીને હું ત્યાં જ રડવા લાગ્યો હતો.
સુરેન્દ્ર પાલે આગળ વાતચીતમાં કહ્યું કે, 'બીઆર ચોપરાએ મણે કહ્યું કે મારે વાઘ જેવો દેખાવ જોઈએ છે. મને મારી સામે વાઘ દેખાય છે, માત્ર તમે જ દ્રોણાચાર્યની ભૂમિકા ભજવી શકો અને બીજું કોઈ નહીં. ' આ પછી સુરેન્દ્ર પાલે ઓડિશન આપ્યું અને લુક ટાસ્ક માટે પસંદગી કરવામાં આવી હતી. આ રીતે બીઆર ચોપરાએ 'મહાભારત'નું નિર્માણ કર્યું હતું. તેના પુત્ર રવિ ચોપરાએ તેનું દિગ્દર્શન કર્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir