બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 01:24 PM, 21 April 2023
સુરતમાં આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ AAPના 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ હવે વધુ 2 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો છે. નોંધનીય છે કે, આ પહેલા થોડાક દિવસો અગાઉ જ સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જે બાદમાં આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે, સુરતમાં AAPના 28માંથી 12 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે.
ડાયમંડ નગરી સુરતની મહાનગરપાલિકામાં આપને વધુ એક ઝટકો મળ્યો છે. વિગતો મુજબ આજે સુરતમાં AAPના વધુ 2 કોર્પોરટર ભાજપમાં જોડાયા છે. આજે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વોર્ડ નં-3ના કનુ ગેડિયા અને વોર્ડ નં-2ના અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે.
શું કહ્યું સુરત શહેર ભાજપ પ્રમુખે ?
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, PM મોદીની લોકપ્રિયતા વધી રહી હોઇ તેનાથી પ્રેરાઈને હવે સુરતમાં આપના કોર્પોરેટરો ભાજપમાં આવી રહ્યા છે. ભાજપની વિકાસની રાજનીતી મોદીની આગેવાની લોકપ્રિયતા વધી રહી છે. જેને લઈ આજે AAPમાંથી બંને કોર્પોરેટરો રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.
શું કહ્યું ભાજપમાં જોડાયેલા AAPના કોર્પોરેટરે ?
AAPમાંથી ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટર કનું ગેડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, AAPએ મને સસ્પેન્ડ કર્યો અને હું ભાજપમાં જોડાયો છું. મેં મારા મતદારો સાથે દ્રોહ કર્યો નથી. મતદારોએ મને જોઈને મત આપ્યા હતા, AAP ને જોઈને નહી.
અગાઉ પણ આપનાં 6 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા હતા
મહત્વનું છે કે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટર્સ દ્વારા પાર્ટી બદલવાનું કારણ રજૂ કરીને આક્ષેપો કર્યા હતા. બીજી તરફ ભાજપે કોઈ લોભ કે લાલાચ કોર્પોરેટર્સને ભાજપમાં જોડવા માટે આપવામાં આવી ના હોવાનું જણાવવામાં આવ્યું હતું. આપ સાથેનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર્સનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir