ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:05 PM, 17 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે એક સરકારી સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં 70 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે તથા ટેક્સ છૂટનો પણ લાભ મળી શકે છે. આ એક સ્મોલ સેવિંગ સ્કીમમાં જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીના ક્વાર્ટર માટે 8.2 ટકા વ્યાજદર આપવામાં આવે છે. આ સ્કીમમાં દર વર્ષે 250 રૂપિયાથી 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. ઈન્કમટેક્સ ધારા 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. આ સ્કીમના વ્યાજ પર ટેક્સ ચૂકવવાનો રહેતો નથી.
આ એકાઉન્ટ કોણ ખોલાવી શકે છે?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે ભારતીય નિવાસી અને એક દીકરીના માતા-પિતા હોવું જરૂરી છે. 10 વર્ષની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકે છે. દીકરી 10 વર્ષની થાય ત્યાં સુધીમાં આ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ યોજનામાં મહત્તમ 2 દીકરીઓ માટે એકાઉન્ટ ખોલાવી શક છો. જો તમારે જુડવા દીકરીઓ હોય તો ત્રણ સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ખોલાવી શકો છો.
ADVERTISEMENT
એકાઉન્ટ મેચ્યોરિટી
કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ 2024 સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજદર 8.2 ટકા નક્કી કર્યો છે. આ સ્કીમ હેઠળ તમામ ક્વાર્ટરમાં વ્યાજ અપડેટ થાય છે. આ સ્કીમમાં 15 વર્ષ સુધી પૈસા જમા કરવાના રહે છે. 21 વર્ષે આ એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે. દીકરી 18 વર્ષની થાય તે પછી અડધી રકમનો ઉપાડ કરી શકાય છે.
વધુ વાંચો: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા એલર્ટ! જો-જો આવી ભૂલ કરતા, નહીંતર...! RBIએ આપી ચેતવણી
ADVERTISEMENT
70 લાખ રૂપિયા કેવી રીતે મળી શકે?
આ યોજના હેઠળ તમામ ક્વાર્ટરમાં વ્યાજદર રિવાઈઝ કરવામાં આવે છે. આ યોજના શરૂથઈ ત્યારથી અત્યાર સુધીમાં મહત્તમ વ્યાજદર 9.2 ટકા અને ન્યૂનતમ વ્યાજદર 7.6 ટકા રહ્યો છે. દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી 8 ટકા વ્યાજ મળે તો, 15 વર્ષ સુધી આ સ્કીમમાં દર વર્ષે 1.5 લાખનું રોકાણ કરવાથી તમને 70 લાખ રૂપિયા મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ