બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Students with four-year undergraduate degree can directly pursue Ph.D programmes
Hiralal
Last Updated: 07:00 PM, 14 December 2022
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (UGC) PHDનો સમયગાળો ઘટાડીને વિદ્યાર્થીઓને એક મોટો લાભ આપ્યો છે. અત્યાર સુધી ગ્રેજ્યુએટ અને ત્યાર બાદ માસ્ટર ડિગ્રીના કોર્ષ બાદ જ પીએચડી કરી શકાતી હતી પરંતુ આજે યુજીસી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં એવું જણાવાયું છે કે હવેથી ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કરનાર પણ સીધા પીએચડી કરી શકશે એટલે પીએચડી માટે માસ્ટર ડિગ્રીના કોર્ષની જરુર નહીં રહે.
Students with four-year undergraduate degree can directly pursue Ph.D programmes: UGC chairman Jagadesh Kumar
— Press Trust of India (@PTI_News) December 14, 2022
UGC અધ્યક્ષ જગદેશ કુમારે આપ્યું નિવેદન
UGC અધ્યક્ષ જગદેશ કુમારે બુધવારે જણાવ્યું હતું કે ચાર વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા પીએચડી કરી શકશે. જ્યાં સુધી '4 વર્ષનો કાર્યક્રમ' સંપૂર્ણપણે લાગુ નહીં થાય ત્યાં સુધી ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ બંધ કરવામાં આવશે નહીં. યુજીસી લાંબા સમયથી અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે નવા અભ્યાસક્રમ અને ક્રેડિટ ફ્રેમવર્ક પર કામ કરી રહ્યું છે.
Universities can decide whether to offer three-year Honours degree or four-year undergraduate programme: UGC chairman Jagadesh Kumar
— Press Trust of India (@PTI_News) December 14, 2022
વિદ્યાર્થીઓને પહેલા કરતા વધુ સુવિધાઓ મળશે
યુજીસી મારફતે બહાર પાડવામાં આવેલ નવો અભ્યાસક્રમ NEP 2020 પર આધારિત છે. આ અંતર્ગત નિયમોમાં રાહત રહેશે અને વિદ્યાર્થીઓને પણ પહેલા કરતા વધુ સુવિધાઓ મળશે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ ચાર વર્ષ અંડરગ્રેજ્યુએટ કર્યા બાદ હવે પીએચડી કરી શકશે. તેમને માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ્સમાં પ્રવેશ લેવાની જરૂર રહેશે નહીં.જે વિદ્યાર્થીઓ એક કે બે સેમેસ્ટર પૂર્ણ કર્યું હોય તેમને પસંદ કરેલા વિષયમાં પ્રમાણપત્ર મળશે. જ્યારે વિદ્યાર્થીઓને બે વર્ષ કે ચાર સેમેસ્ટર કર્યા બાદ ડિપ્લોમા મળશે. સાથે જ બેચલર ડિગ્રી ત્રણ વર્ષ કે 6 સેમેસ્ટર બાદ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીને ચાર વર્ષ કે આઠ સેમેસ્ટર પૂર્ણ થવા પર ઓનર્સ ડિગ્રી આપવામાં આવશે. ચોથા વર્ષ પછી, જે વિદ્યાર્થીઓએ પ્રથમ 6 સેમેસ્ટરમાં 75 ટકા અથવા તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેઓ રિસર્ચ વર્ક પસંદ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir