બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 01:01 PM, 11 May 2023
SS Rajamouli Mahabharat Movie: બાહુબલી અને RRR જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવ્યા પછી એસએસ રાજામૌલી હવે એવું કંઈક કરવા જઈ રહ્યા છે જેને જોઈને દુનિયાભરના ફિલ્મના ચાહકો આશ્ચર્યચકિત થઈ જશે. રાઇટર અને ડાયરેક્ટર તરીકે રાજામૌલી એક એવી ફિલ્મ દુનિયાને આપવા ઈચ્છે છે જે ઇતિહાસ સર્જી શકે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાજામૌલીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમને મહાભારત પર ફિલ્મ બનાવવા માંગે છે જેને તે 10 પાર્ટમાં રજૂ કરવા ઈચ્છે છે.
મહાભારત પર ફિલ્મ બનાવશે એસએસ રાજમૌલી
એસએસ રાજામૌલી તેમના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત વિશે વાત કરી ચૂક્યા છે. એસએસ રાજામૌલીએ આરઆરઆરના પ્રમોશન દરમિયાન જણાવ્યુ હતું કે, તેઓ મૂળ મહાભારતને પોતાની શૈલીમાં ટ્વિસ્ટ આપશે અને સ્ક્રિપ્ટ લખ્યા પછી જ ફિલ્મમાં કાસ્ટ કરશે. આ વખતે એસએસ રાજામૌલીએ એક ઈવેન્ટમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે ખુલીને વાત કરી છે અને કહ્યું છે કે, હાલમાં દેશમાં મહાભારતની તમામ આવૃત્તિઓ વાંચવામાં તેમને લગભગ એક વર્ષ લાગશે.
10 ભાગમાં બનશે મહાભારત?
એસએસ રાજામૌલીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, જો તેઓ મહાભારત બનાવવાની વાત કરે છે તો ભારતમાં તેના તમામ વર્ઝન વાંચવામાં એક વર્ષ લાગશે. અત્યારે તે માની શકે છે કે તે 10 ભાગની ફિલ્મ હશે. રાજામૌલી લાંબા સમયથી ટીવી શો મહાભારતના 266 એપિસોડને ફિલ્મમાં બદલવાનું સપનું જોઈ રહ્યા છે.
ક્યારે કરશે ડ્રીમ પ્રોજેક્ટ પર કામ?
આ કાર્યક્રમમાં જ્યારે એસએસ રાજામૌલીને પૂછવામાં આવ્યું કે, શું મહાભારત ટૂંક સમયમાં તેમના આયોજનમાં છે. આ સવાલ પર રાજામૌલીએ કહ્યું, આ જ તેમના જીવનનો હેતુ છે. રાજામૌલીએ એમ પણ કહ્યું- તે જે પણ ફિલ્મ બનાવે છે, તેમાંથી તે કંઇક શીખે છે, તે મહાભારત બનાવવા માટે કંઈક શીખી રહ્યા છે, તેથી તે તેનું સપનું છે અને દરેક પગલું તેની તરફ જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir