બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shweta singh kirti questions about sushant singh rajpuj death case says he protects his family

બોલિવૂડ / સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘરમાંથી ગાયબ હતી આ વસ્તુ, તમામ CCTV પણ બંધ: બહેને કર્યા ગંભીર ખુલાસા

Arohi

Last Updated: 09:49 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sushant Singh Rajput: સુશાંત સિંહના નિધનને સાડા ત્રણ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. ભલે હાલ તે આપણા વચ્ચે નથી પરંતુ સિનેમામાં તેમનું કામ હંમેશા યાદ રહેશે. એવામાં હાલમાં જ સુશાંતની બહેન કીર્તિએ ભાઈના નિધન પર વાત કરી છે.

14 જૂન 2020ના દિવસે સુશાંત સિંહ રાજપૂતના નિધનની ખબરે આખા દેશને હચમચાવી દીધો હતો. સાડા ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે પરંતુ હજુ પણ સુશાંતના મોતનું રહસ્ય અકબંધ છે. હાલમાં જ તેમની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ભાઈના નિધન પર શંકા વ્યક્ત કરી અને તેની તપાસની કરવાની માંગ કરી છે. 

છિછોરે, એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી અને કેદારનાથ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા સુશાંત સિંહ રાજપૂતને લઈને કહેવામાં આવ્યું કે તેમણે સુસાઈડ કર્યો છે. ડૉક્ટર્સે પણ એવું જ કહ્યું કે તેણે આત્મહત્યા કરી છે. પરંતુ પરિવાર અને ફેંસે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ બાદ સુશાંતનો કેસ સીબીઆઈના હાથમાં ગયો, પરંતુ હજુ સુધી તેનુ રહસ્ય ખુલ્યું નહીં. 

સુશાંતના મોત પર બહેને ઉઠાવ્યા સવાલ 
શ્વેતા સિંહ કીર્તિએ એક ઈન્ટરવ્યૂમાં એક વખત ફરી સુશાંતના નિધન પર ઘણા સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે તેમના ભાઈ ખૂબ સ્ટ્રોન્ગ માઈન્ડ વાળો માણસ હતો તો તે આવુ પગલું કેવી રીતે ભરી શકે. સાથે જ કીર્તિએ સુસાઈડ વાળા દિવસની સ્ટોરી જણાવી. 

સુશાંત સિંહે કેમ લોક કર્યો હતો પોતોનો રૂમ? 
કીર્તિએ કહ્યું કે સીબીઆઈ દેશની સૌથી મોટી ઈન્વેસ્ટિગેટર્સ છે તો તેમને ખબર હોવી જોઈએ કે સુશાંતની સાથે શું થયું કે પછી તેમને ઈન્વેસ્ટીગેશનમાં શું મળ્યું. તેમને બધાનો એક્સેસ આપવામાં આવ્યો હતો. શ્વેતાએ શંકા વ્યક્ત કરી કે સુસાઈડ વાળા દિવસે આખરે સુશાંતે પોતાનો રૂમ લોક કેમ કર્યો જ્યારે તેમણે એવુ ક્યારેય નથી કર્યું. 

શ્વેતાએ કહ્યું- સીબીઆઈને બધી ડિટેલ્સ શેર કરવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે તે એટલું જાણવા માટે પુરતી છે કે સુશાંતને શું થયું હતું. જેવી રીતે તેમના અપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા કામ ન હતા કરી રહ્યા. આસપાસના પણ સીસીટીવી કેમેરા પણ કામ ન હતા કરી રહ્યા? એવું કેમ થયું? ભાઈ તેના રૂમને ક્યારેય લોક ન હતો કરો. તે હંમેશા પોતાના રૂમને એનલોક જ રાખતો હતો. 

વધુ વાંચો: VIDEO: બાળપણથી જ મને...: અનંતે પોતાની બીમારીનું દર્દ જણાવ્યું, મુકેશ અંબાણીની આંખમાં આવી ગયા આંસુ

ઘરેથી ગાયબ થઈ આ વસ્તુઓ 
શ્લેતા સિંહ કીર્તિએ જણાવ્યું કે તેમના ઘરમાંથી અમુક વસ્તુઓ ગાયબ થઈ. તેમણે જણાવ્યું, "જ્યારે તમે અપાર્ટમેન્ટ છોડો તો તમારે ચાવી રિટર્ન કરવાની હોય છે. જ્યારે ચાવીનો ગુછ્છો પરત આપવામાં આવ્યો તો તેના રૂમની ચાવી ગાયબ હતી. ક્યાં ગઈ? જે આદમી તે અપાર્ટમેન્ટને ડીલ કરતો હતો. તેણે જણાવ્યુ કે ચાવીઓ તો અમે આપી હતી. તે બેડરૂમની કી પણ આપી હતી. તો તે ક્યાં ગઈ? ઘણી વસ્તુઓ છે જે સમજ નથી આવી હતી."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ