બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 07:13 AM, 19 May 2023
Shani Jayanti 2023: પુરાણોમાં અને શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવાયા છે. સૂર્યદેવ શનિદેવના પિતા છે અને છાયા તેમની માતા છે. દર વર્ષે જેઠ માસની અમાસના દિવસે શનિજયંતિ ઉજવાય છે. 19 મે એટલે કે આજે શનિ જયંતીની ઉજવણી થશે. કહેવાય છે કે શનિ જયંતિના દિવસે વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરવાથી જીવનમાં આવેલા સંકટથી મુક્તિ મળે છે. ખાસ કરીને જે લોકો પર શનિની સાડાસાતી અને પનોતી ચાલતી હોય તેમણે શનિ જયંતીના દિવસે આ ઉપાયો કરવા જોઈએ. તેનાથી જીવન ખુશહાલ બને છે.
આ 3 રાશિઓ પર ચાલી રહેલા શનિની ખરાબ નજર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલ મકર, મીન અને કુંભ રાશિના લોકો ઉપર શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિના પ્રભાવના કારણે આ રાશિના લોકોના કાર્યમાં અડચણ આવે છે અને તેમને નુકસાન પણ સહન કરવું પડે છે. ઘરમાં સ્વાસ્થ્ય સમસ્યા પણ સંકટ બને છે. આવી સ્થિતિમાં આ ત્રણ રાશિના જાતકોએ પોતાના જીવનમાં આવેલી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો નિયમિત પાઠ કરવો જોઈએ અને શિવ મંદિરમાં પૂજા કરવી જોઈએ.
શનિ જયંતિ પર જરુર કરો આ 3 ઉપાય
ધર્મના જાણકારો મુજબ, જે વ્યક્તિની સાડાસાતી અથવા તો પનોતી ચાલતી હોય તેમણે શનિ જયંતિના દિવસે ધતુરાના બીજ શિવજીને અર્પણ કરવા જોઈએ. કારણ કે શિવજીની આરાધના કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને જાતકને પોતાના આશીર્વાદ આપે છે. આ ઉપાયથી જાતકના અટકેલા કામ બની જાય છે અને ઘરના તમામ સંકટ દૂર થાય છે.
શનિ મંદિરમાં રાખો આ વાતનું ધ્યાન
જે લોકો પર શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી હોય તે લોકોએ શનિદેવના મંદિર જઇને તેમની આરાધના કરવી. જોકે આ દરમિયાન શનિ જયંતિના દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શનિ મંદિરમાં દર્શન કરવા કે પૂજા કરવા જાવ ત્યારે શનિદેવની આંખોમાં ન જોવું. આમ કરવાથી શનિદેવની કુદરતી જાતક ઉપર પડે છે અને ઘરમાં આ સમસ્યાઓ શરૂ થાય છે. તેનાથી બચવા માટે શનિદેવના ચરણોને જોવા અને તેલના પાત્રમાં પોતાની છાયા જોઈને તેનું દાન કરવાનું રાખવું.
આ વસ્તુથી ખુદને રાખો દૂર
શનિની સાડાસાતીથી પીડિત આવા લોકોએ માંસ અને દારૂના સેવનથી પોતાને દૂર રાખવું જોઈએ. આમ ન કરવાથી શનિદેવનો ક્રોધ ભભૂકી ઉઠે છે અને તેના પ્રભાવથી દેશવાસીઓનું જીવન પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. આવા લોકોને શનિ જયંતિ પર કાળા કૂતરા, કાગડા કે કાળા બળદને ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી શનિનો ક્રોધ શાંત થઈ જાય છે અને તે પ્રસન્ન થઈને જાતકને આશીર્વાદ આપે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir