બ્રેકિંગ ન્યુઝ
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
Priyakant
Last Updated: 10:57 AM, 17 February 2024
ADVERTISEMENT
AbuDhabi Hindu Temple Photos : અબુધાબીમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલ BAPS હિન્દુ મંદિરની ચારેકોર ચર્ચા થઈ રહી છે. તમે મંદિરની તસવીરો તો મીડિયામાં કે સોશિયલ મીડિયા સાઇટ પર જોઈ હશે, પણ આજે અમે તમને બતાવીશું કે, મંદિરમાં ભગવાનની મૂર્તિ કેવી છે ?
ADVERTISEMENT
આ મંદિર અબુ ધાબીમાં 'અલ વકબા' નામની જગ્યા પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવ્યું છે. હાઇવેને અડીને આવેલ અલ વકબા, અબુ ધાબીથી લગભગ 30 મિનિટના અંતરે છે.
અબુધાબીનું આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આ સાથે આ મંદિરમાં સીતા-રામ, લક્ષ્મણજી, હનુમાનજી, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રી ગણેશ, જગન્નાથ સ્વામી અને ભગવાન અયપ્પાની મૂર્તિઓ છે.
મંદિરમાં કોતરણી દ્વારા અધિકૃત પ્રાચીન કલા અને સ્થાપત્યને પુનર્જીવિત કરવામાં આવ્યું છે.
મંદિર પ્રબંધનના પ્રવક્તા અશોક કોટેચાએ જણાવ્યું હતું કે માસ્ટર પ્લાનની ડિઝાઇન 2020ની શરૂઆતમાં પૂર્ણ થઈ ગઈ હતી. સમુદાયના સમર્થન અને ભારત અને UAEના નેતૃત્વથી ઐતિહાસિક મંદિરનું કામ આગળ વધી રહ્યું છે.
UAE સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 20,000 ચોરસ મીટર જમીન આપી હતી. UAE સરકારે 2015માં આની જાહેરાત કરી હતી જ્યારે વડાપ્રધાન મોદી ત્યાં બે દિવસની મુલાકાતે ગયા હતા.
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણમાં ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમએ મંદિરની દિવાલો પર કરવામાં આવેલી કોતરણીને નજીકથી નિહાળી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરમાં સંતો સાથે પ્રાર્થના કરી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT