બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / મનોરંજન / બોલિવૂડ / Sara Ali Khan ae watan mere watan inspired by usha mehta who started secret radio
Arohi
Last Updated: 11:05 AM, 6 March 2024
બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનની ફિલ્મ 'એ વતન મેરે વતન'નું ટ્રેલર હાલમાં જ સામે આવ્યું અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. લોકોને સારાનું કામ તો સારી લાગી રહ્યું છે. પરંતુ ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ લાગી રહી છે. સ્વતંત્રતા સંગ્રામનો ભાગ રહેલા મોટાભાગના મોટા નામોને આપડે ઓળખતા હોઈશું. પરંતુ 'એ વતન મેરે વતન'માં સારા જેનું પાત્ર નિભાવી રહી છે તે કોણ છે આવો જાણીએ....
આઝાદીનું આંદોલન અને એક સીક્રેટ રેડિયો સ્ટેશન
14 ઓગસ્ટ 1942ના દિવસે રેડિયોના વેવલેન્થ 42.34 મીટર પર લોકોએ પહેલી વખત 'કોંગ્રેસ રેડિયો' સાંભળ્યો અને આ સ્ટેશનનું લોકેશન જણાવવામાં આવ્યું 'ભારતમાં જ ક્યાંકથી.' આ અવાજ હતો 22 વર્ષની એક યુવતી, ઉષા મહેતાનો. જેમનું પાત્ર 'એ વતન મેરે વતન'માં સારા અલી ખાન નિભાવી રહી છે.
તે દિવસથી દિવસમાં બે વખત રેડિયો પ્રોગ્રામ ચાલતો. એક વખત હિંદી અને એક વખત ઈંગ્લિશમાં. પરંતુ બાદમાં આ દિવસમાં ફક્ત એક જ વખત આવવા લાગ્યો. સાંજે 7.30થી 8.30ની વચ્ચે. તેમાં દેશભક્તિના ગીત બ્રોડકાસ્ટ થતા. એ સમાચાર વાંચવામાં આવતા જેને અંગ્રેજી સરકારના ઓફિસર સેન્સર કરીને છાપવાથી રોકી દેતા હતા અને ભારતની આઝાદીના સંગ્રામ લીડ કરી રહેલા નેતાઓના ઓજસ્વી ભાષણ પણ બ્રોડકાસ્ટ કરવામાં આવતા.
ભાષણ બન્યું પ્રેરણા
મહાત્મા ગાંધીએ ઓગસ્ટ 1942માં મુંબઈમાં એક ઐતિહાસિક ભાષણ આપ્યુ અને જનતાને નારો આપ્યો- 'કરો યા મરો'. અહીંથી ભારત છોડો આંદોલન શરૂ થયા. ગાંધીએ આ ભાષણ આપ્યું હતું 9 ઓગસ્ટે અને તેમનું આ ભાષણ જ ઉષા માટે પ્રેરણા બન્યું.
જેના બાદ તેમણે સીક્રેટ રેડિયો ચેન શરૂ કરી દીધી. તેમના બે સાથી ક્રાંતિકારી ચંદ્રકાંત બાબુભાઈ ઝવેરી અને વિઠ્ઠલદાસ કે ઝવેરી. ઉષાએ નાનકા મોટવાનીને પણ સાથે લીધો. જેમનો પરિવાર એક ટેલીફોન કંપની શિકાગો રેડિયો ચલાવતો તો અને એક નવો રેડિયો ઓપરેટ નરીમન પ્રિંટરે પણ તેની મદદ કરી.
આઝાદી બાદ ફરૂ શરૂ કર્યો અભ્યાસ
દેશની આઝાદી બાદ ઉષાએ રાજનીતિ અને સમાજ કાર્ય છોડી દીધા. તેમણે આંદોલનોની વચ્ચે છૂટી ચુકેલા અભ્યાસને ફરી શરૂ કર્યો અને યુનિવર્સિટી ઓફ બોમ્બેથી ગાંધી દર્શનમાં પીએચડી પુરી કરી. પછી તે તેજ યુનિવર્સીટીમાં ભણાવવા લાગ્યા અને 1980માં રિટાયર્ડ થયા.
વધુ વાંચો: માર્ચમાં OTT પર ધમાલ મચાવશે આ 6 દમદાર ફિલ્મો-વેબ સિરીઝ, નોટ કરી લો આ તારીખ
1998માં ભારત સરકારે ઉષાને પદ્મ વિભુષણથી સન્માનિત કર્યા. વર્ષ 2000માં ઉષાએ દર વર્ષની જેમ ઓગસ્ટ ક્રાન્તિ મેદાનમાં ભારત છોડો આંદોલનની એનિવર્સરીમાં ભાગ લીધો અને પાછી બિમારી પડી ગયા. બે દિવસ બાદ 11 ઓગસ્ટ 2000એ તેમણે પોતાની અંતિમ શ્વાસ લીધા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir