બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Rich in medicinal properties, jasmine oil is very useful for skin and hair
Pooja Khunti
Last Updated: 07:57 AM, 26 December 2023
શિયાળાની ઋતુ ત્વચાના સ્વાસ્થ્યને ખૂબ પ્રભાવિત કરે છે. આ મોસમમાં ઠંડો પવન અને પ્રદૂષણ ત્વચાને ખરાબ કરી દે છે. આ મોસમમાં સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને નુકસાન પોચાળે છે. ઠંડીની ઋતુમાં ખંજવાળની સમસ્યા વધી જાય છે. આ ઋતુમાં વધતું જતું પ્રદૂષણ ચામડીના રોગનું કારણ બને છે. આ સિઝનમાં તમારી ત્વચાને સુરક્ષિત રાખવાં માટે જાસ્મીન તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલમાં ગ્લાયકોસાઇડ્સ, ફિનોલિક કમ્પાઉન્ડ્સ, ફ્લેવોનોઇડ્સ, ટેનીન, કાર્બોહાઇડ્રેટ સેપોનિન જેવા પોષક તત્વો હોય છે જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આ તેલનો ઉપયોગ ત્વચા અને વાળ પર કરવાથી ઘણાં ફાયદાઓ થાય છે. આ તેલ ત્વચાને નરમ બનાવે છે અને ચામડીના રોગથી બચાવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર જાસ્મીન તેલનો ઉપયોગ દુ:ખાવા, ઘા, મોતિયા, સોજો અને તાવને ઘટાડવા માટે કરવામાં આવે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે એરોમાથેરાપીમાં જાસ્મીન તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ઠંડીમાં થતી ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે જાસ્મીન તેલ ઘણું ફાયદાકારક છે.
જાસ્મીન તેલના ફાયદા
જાસ્મીન તેલમાં ઔષધીય ગુણ હોય છે. આ તેલને ત્વચા પર લગાવવાથી ત્વચાની મોટાભાગની સમસ્યાઓ દૂર થાય છે. આ તેલના ઉપયોગથી ત્વચા પર થતી ફોલ્લીઓ , ડાઘ અને ઘા દૂર થાય છે. આ તેલમાં બેન્ઝિલ બેન્ઝોએટ સંયોજન હોય છે. જે ખંજવાળને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. શિયાળામાં ત્વચાની શુષ્કતાને દૂર કરવા અને ફોલ્લીઓને નિયંત્રણમાં રાખવાં માટે જાસ્મીન તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્વચા પર જાસ્મીન તેલનો ઉપયોગ કેવી રીતે કરવો
શિયાળામાં ત્વચાને નરમ અને સ્વસ્થ રાખવાં માટે રાત્રે સૂતા પહેલા ત્વચા પર તેલને લગાવો, સવારે તમારા ચહેરાને સાફ કરી લો. આ તેલ ત્વચાની શુષ્કતા અને ખંજવાળને દૂર કરશે. જાસ્મીન તેલનો ઉપયોગ હળદરની પેસ્ટ સાથે કરો. તમારી ત્વચા પર જાદુઇ અસર જોવા મળશે. હળદરમાં જાસ્મીન તેલનાં ઉપયોગથી તમારી ત્વચા ચમકદાર બનશે. તમે સીરમ, મોઇશ્ચરાઇઝર અને માસ્કમાં જાસ્મીન તેલને ઉમેરી તમારા ચહેરા પર લગાવી શકો છો.
જાસ્મીન તેલને કેવી રીતે લગાવવું
સૂતા પહેલા જાસ્મીન તેલને ચહેરા પર લગાવો, જેથી તમારી ત્વચા પર એક ચમક આવી જશે. રાત્રે તમારા ચહેરાને સાફ કરો અને જાસ્મીન તેલ સાથે નાળિયેલ તેલનાં 1-2 ટીપાં ઉમેરો. બંનેને સારી રીતે મિક્સ કરી, ચેહરા પર લગાઓ. બીજા દિવસે તમારા ચેહરાની શુષ્કતા દૂર થશે અને ચેહરો ચમકદાર દેખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir