બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Random testing of 2% international arrivals to resume from Saturday morning
Hiralal
Last Updated: 10:44 PM, 22 December 2022
ચીન સહિતના કેટલાક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ત્યાંના લોકો છટકીને ભારત આવતા રહે છે અને તેઓ ઘણી વાર પોઝિટીવ હોવા છતાં પણ તેઓ દેશમાં બેરોકટોક ઘુસી જતા હોય છે આવી સ્થિતિમાં કોરોના ખૂબ મોટા પ્રમાણમાં વકરતો હોય છે, કોરોનાની અગાઉની 3 લહેરોમાં આવું જ બની ચૂક્યું છે, હવે આવી સ્થિતિને ટાળવા માટે કેન્દ્ર સરકારે અત્યારથી કમર કસી દીધી છે અને પહેલા પગલા તરીકે વિદેશથી ભારત આવનાર લોકો માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે.
MoHFW issues guidelines for international arrivals in India amid current Covid19 situation; to be effective from 24th Dec
— ANI (@ANI) December 22, 2022
2% of the total passengers in a flight to undergo Covid tests at airport on arrival; such passengers will be allowed to leave the airport after giving sample pic.twitter.com/H3Xfy8b7CB
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન્સ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારત આવતા ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે 24 ડિસેમ્બરથી લાગુ પડશે. ગાઈડલાઈન્સમાં કહેવાયું છે કે દેશના તમામ એરપોર્ટ પર જે પણ ફ્લાઈટ આવશે તેમાં બેઠેલા કુલ પ્રવાસીઓમાંથી 2 ટકા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ થશે. આ 2 ટકા પ્રવાસીઓને સેમ્પલ આપ્યાં બાદ જ જવા દેવામાં આવશે.
વિદેશથી ભારત આવનાર પ્રવાસીઓ માટે નવો નિયમ
આરોગ્ય મંત્રાલયના ઓર્ડર મુજબ, સંબંધિત સૌથી પહેલા ભારત આવનારા યાત્રીઓના ટેસ્ટિંગ માટે એરલાઈન્સની ઓળખ કરાશે ત્યાર બાદ બે ટકા મુસાફરોના સેમ્પલ લેવામાં આવશે અને ત્યાર બાદ તેમને એરપોર્ટ બહાર જવા દેવામાં આવશે અને જો મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તો લેબ વતી સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે માહિતી શેર કરવામાં આવશે. તે પછી, યોગ્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જો મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે ઇન્સાકોગ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
ચીનથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ
સૂત્રના જણાવ્યા પ્રમાણે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ચીનથી આવતા મુસાફરો પર કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે આજથી દેશના એરપોર્ટ પર કોવિદ-19 માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir