બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Random testing of 2% international arrivals to resume from Saturday morning

મહામારી / કોરોના દેશમાં ન ઘુસી જવો જોઈએ ! વિદેશથી આવનાર પ્રવાસીઓનું એરપોર્ટ પર ટેસ્ટિંગ, કેન્દ્રનો ઓર્ડર

Hiralal

Last Updated: 10:44 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા લોકો માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે.

  • વિદેશથી ભારત આવતા પ્રવાસીઓને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય
  • હેલ્થ મિનિસ્ટ્રીએ ગાઈડલાઈન્સ બહાર પાડી
  • ફ્લાઈટમાં બેઠેલા 2 ટકા લોકોનો થશે કોરોના ટેસ્ટ

ચીન સહિતના કેટલાક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ત્યાંના લોકો છટકીને ભારત આવતા રહે છે અને તેઓ ઘણી વાર પોઝિટીવ હોવા છતાં પણ તેઓ દેશમાં બેરોકટોક ઘુસી જતા હોય છે આવી સ્થિતિમાં કોરોના ખૂબ મોટા પ્રમાણમાં વકરતો હોય છે, કોરોનાની અગાઉની 3 લહેરોમાં આવું જ બની ચૂક્યું છે, હવે આવી સ્થિતિને ટાળવા માટે કેન્દ્ર સરકારે અત્યારથી કમર કસી દીધી છે અને પહેલા પગલા તરીકે વિદેશથી ભારત આવનાર લોકો માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન્સ 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારત આવતા ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે 24 ડિસેમ્બરથી લાગુ પડશે. ગાઈડલાઈન્સમાં કહેવાયું છે કે દેશના તમામ એરપોર્ટ પર જે પણ ફ્લાઈટ આવશે તેમાં બેઠેલા કુલ પ્રવાસીઓમાંથી 2 ટકા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ થશે. આ 2 ટકા પ્રવાસીઓને સેમ્પલ આપ્યાં બાદ જ જવા દેવામાં આવશે. 

વિદેશથી ભારત આવનાર પ્રવાસીઓ માટે નવો નિયમ 
આરોગ્ય મંત્રાલયના ઓર્ડર મુજબ, સંબંધિત સૌથી પહેલા ભારત આવનારા યાત્રીઓના ટેસ્ટિંગ માટે એરલાઈન્સની ઓળખ કરાશે ત્યાર બાદ બે ટકા મુસાફરોના સેમ્પલ લેવામાં આવશે અને ત્યાર બાદ તેમને એરપોર્ટ બહાર જવા દેવામાં આવશે અને જો મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તો લેબ વતી સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે માહિતી શેર કરવામાં આવશે. તે પછી, યોગ્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જો મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે ઇન્સાકોગ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. 

ચીનથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ 
સૂત્રના જણાવ્યા પ્રમાણે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ચીનથી આવતા મુસાફરો પર કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે આજથી દેશના એરપોર્ટ પર કોવિદ-19 માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ થઈ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ