બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 09:23 AM, 24 November 2023
કતરમાં ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મીઓને આપવામાં આવેલી મોતની સજા વિરૂદ્ધ ભારતની અપીલ સ્વીકારી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કતરની એક કોર્ટે ગુરૂવારે અપીલ દસ્તાવેજ સ્વીકાર કરી લીધા અને હવે આ મામલા પર પોતાના નિર્ણયની જાહેરાત કરવા માટે તેનો અભ્યાસ કરશે. મામલામાં બીજી સુનાવણી જલ્દી થવાની આશા છે જેમાં થોડી સંભાવના છે કે કોર્ટ નિર્ણય સંભળાવી શકે છે.
ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મચારીઓને કતરની કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટેન્સે 26 ઓક્ટોબરે મોતની સજા સંભળાવી હતી. ભારતે નિર્ણયને ખૂબ જ ચોંકાવનારો જણાવ્યો હતો અને મામલામાં બધા કાયદાકીય વિકલ્પ જોવાનો સંકલ્પ લીધો હતો. પ્રાઈવેટ કંપની અલ દહરાની સાથે કામ કરનાર આ ભારતીય નાગરીકોની કથિત રીતે જાસૂસીના એક મામલામાં ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી.
મોતની સજા વિરૂદ્ધ અપીલ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 16 નવેમ્બરે કહ્યું હતું કે કતરની એક કોર્ટ દ્વારા ભારતીય નવસેનાના આઠ પૂર્વ કર્મિઓને સંભળાવવામાં આવેલી મોતની સજા વિરૂદ્ધ અપીલની પ્રક્રિયા ચાલું છે.
બાગચીએ કહ્યું, "મામલો હાલ ત્યાં કાયદાકીય પ્રક્રિયામાં છે. જેવું કે અમે જણાવ્યું કતરની અપીલ કોર્ટમાં અક અપીલ દાખલ કરવામાં આવી છે. અમે આ મામલા પર કતરના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને અમે તેમને બધી કાયદાકીય અને રાજનૈતિક સહાયતા આપવાનું ચાલુ રાખીશું."
વિદેશ મંત્રી એસ જયશંકરે 30 ઓક્ટોબરે આ આઠ ભારતીયોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને તેમણે એક્સ પર કહ્યું, "આજે સવારે કતરમાં ધરપકડમાં લેવામાં આવેલા આઠ ભારતીયોના પરિવાર સાથે મુલાકાત કરી. આ વાત પર ભાર આપ્યો કે સરકાર મામલાને સર્વોચ્ચ મહત્વ આપે છે. અમે પરિવારની ચિંતાઓ અને દુખને સંપૂર્ણ રીતે સમજીએ છીએ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir