બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 01:49 PM, 20 June 2023
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા આજે એટલે કે 20 જૂને ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવી છે, જે 1 જુલાઈએ પૂરી થશે. દર વર્ષે અષાઢના શુક્લ પક્ષની બીજી તારીખે જગન્નાથની રથયાત્રા જોર જોરથી કાઢવામાં આવે છે. છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે ત્રણ રથમાં સવાર થઈને શહેરની યાત્રા પર જાય છે. આજે પણ લાખો લોકો આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનશે. એવું માનવામાં આવે છે કે જે પણ મનુષ્ય ભગવાન જગન્નાથના રથના દોરડાને એકવાર સ્પર્શ કરે છે, તે ભવસાગર તરી જાય છે.
મજારની સાથે કેમ રોકાય જાય છે ભગવાન જગન્નાથજીનો રથ
દરેકના મનમાં આ પ્રશ્ન જરુરથી આવે છે કે, આખરે આ કોની મજાર છે, જેની સામે ભગવાન જગન્નાથનો રથ પણ રોકાય જાય છે. તમને આને લગતી કહાની જણાવીએ. એવું માનવામાં આવે છે કે, સલબેગ નામનો મુસ્લિમ ભગવાન જગન્નાથનો મોટો ભક્ત હતો. ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ અપાર હતી. એક દિવસ ભગવાન જગન્નાથે તેમના વિશિષ્ટ ભક્તને સ્વપ્નમાં દર્શન આપ્યા, સાલબેગે ભગવાનના દર્શન થતાંની સાથે જ પોતાનો જીવ છોડી દીધો. આ ઘટના બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે શહેરના પ્રવાસ દરમિયાન અચાનક રથનું પૈડું મજારની સામે રોકાય ગયું હતું.
આ દરમિયાન રથયાત્રામાં ઉપસ્થિત હજારો-લાખો લોકોની ભીડે ભગવાન જગન્નાથને તેમના વિશિષ્ટ ભક્ત સાલબેગની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી, ત્યારબાદ જ રથ શહેરમાં ફરવા નીકળ્યો હતો.ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલુ છે. . દર વર્ષે, જ્યારે પણ ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે પુરીમાં શહેરની યાત્રા પર જાય છે, ત્યારે તેમના રથને સાલબેગની મજારની સામે થોડીવાર માટે રોકી દેવામાં આવે છે.
શું છે રથયાત્રા નીકળવા પાછળની કહાની
રથયાત્રાની ખાસ વાત એ છે કે, ભગવાન જગન્નાથનો રથ પાછળની તરફ ફરે છે. તેમની નાની બહેન સુભદ્રાનો રથ મધ્યમાં અને મોટા ભાઈ બલરામનો રથ આગળ ચાલે છે. ત્રણેય ભાઈ-બહેન તેમના મોસાળમાં તેમના મામાના ઘરે જવા માટે જાય છે. આની પાછળ એક દંતકથા છે. એવું કહેવાય છે કે, ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાએ એકવાર શહેરની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ સાથે નાની બહેન સાથે શહેરની યાત્રા કરવા ગયા હતા. આ દરમિયાન તે પોતાના માસીના ઘરે પણ ગયા હતા. તેઓ ત્યાં 7 દિવસ રોકાયા. આ જ માન્યતા પ્રમાણે દર વર્ષે પુરીમાં ખૂબ જ ધામધૂમથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir