બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

VTV / ભારત / Prayashchit Puja Before Ram Mandir Inauguration: Know why such an apology was sought from Ramlala

Ayodhya Ram Mandir / અયોધ્યા રામમંદિરમાં સૌથી પહેલા કેમ કરવામાં આવી પ્રાયશ્ચિત પૂજા? રામલલાથી કેમ માંગવામાં આવી માફી, જાણો

Megha

Last Updated: 01:29 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર પહોંચેલા પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી. સૌથી પહેલા પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા રામલલા પાસે ક્ષમા માંગવામાં આવી રહી છે.

  • પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આજે અયોધ્યામાં પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે. 
  • વૈદિક પરંપરા અનુસાર આ પૂજા શું છે અને શા માટે કરવામાં આવે છે?
  • રામ ભગવાને બ્રહ્મ હત્યાના દોષ પ્રાયશ્ચિત માટે ભગવાન શિવની પૂજા કરી હતી. 

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આ શુભ દિવસે રામ મંદિરમાં રામલલાની મૂર્તિ વિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આજે અયોધ્યામાં પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી, જે સવારે 9.30 વાગ્યે શરૂ થઈ અને 5 કલાક સુધી ચાલશે. વૈદિક પરંપરા અનુસાર આ પૂજા શું છે અને શા માટે કરવામાં આવે છે ચાલો તેના વિશે જાણીએ.. 

અયોધ્યામાં આજથી વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ શરૂ, તો  દિલ્હીમાં પણ કરાશે સુંદરકાંડના પાઠનું આયોજન | Ayodhya Ram Mandir Pran  Pratishtha ...

રામ મંદિર પહોંચેલા પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. સૌથી પહેલા પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા રામલલા પાસે ક્ષમા માંગવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે મૂર્તિ બનાવવામાં છીણી અને હથોડાના ઉપયોગથી રામલલાને ઈજા થઈ હશે. એટલા માટે ભગવાન રામ પાસે ક્ષમા માંગવામાં આવી રહી છે. 

શાસ્ત્રો અનુસાર આ પૂજા ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ જાણતા-અજાણતા કોઈ ભૂલ કરે છે. એવું કહેવાય છે કે રામ ભગવાને રાવણનું વધ કર્યા બાદ રામેશ્વરમમાં પ્રાયશ્ચિત પૂજાના ભાગ બન્યા હતા. એ સમયે ભગવાન રામ રામેશ્વરમમાં બ્રહ્મ હત્યાના દોષ પ્રાયશ્ચિત માટે ભગવાન શિવની પૂજા કરી હતી. આ જ કારણ છે કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવે છે.

વાસી ઉત્તરાયણથી જ અયોધ્યામાં શરૂ થઈ જશે ઉજવણી, 22એ ભવ્ય દિવાળી: જાણો શું  શું થશે / Ram Mandir Pran Pratishtha: Sarayu Mahapujan, City Tour and  Annadhivas, What will happen in Ayodhya during

આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભૂમિપૂજન દરમિયાન ખાડો ખોદતી વખતે ઘણા જીવજંતુ મૃત્યુ પામ્યા હશે. એવું પણ શક્ય છે કે મંદિરના નિર્માણ દરમિયાન વૃક્ષો અને છોડનો નાશ થયો હોય. આવી સ્થિતિમાં, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, અયોધ્યામાં પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવી રહી છે.

પ્રાયશ્ચિત પૂજા શું છે? 
રામલલાના અભિષેક પહેલા કરવામાં આવતી પ્રાયશ્ચિત પૂજા એ પૂજાની એક પદ્ધતિ છે જેમાં ત્રણેય રીતે પ્રાયશ્ચિત કરવામાં આવે છે - શારીરિક, આંતરિક, માનસિક અને બાહ્ય. બાહ્ય પ્રાયશ્ચિત માટે યજમાનને 10 ધાર્મિક સ્નાન કરવું પડશે. આ સ્નાનમાં પંચ દ્રવ્ય અને અન્ય ઘણી સામગ્રી સામેલ છે. આ સાથે ગોદાન પ્રાયશ્ચિત પણ છે જેના માટે સંકલ્પ લેવામાં આવે છે. આમાં યજમાન ગોદાન દ્વારા પ્રાયશ્ચિત કરે છે. આમાં પ્રાયશ્ચિત પણ અમુક પૈસાનું દાન કરીને કરવામાં આવે છે, આ દાનમાં સોનું દાન કરવું પણ સામેલ છે.

વધુ વાંચો: કમળના ફૂલ પર વિરાજમાન થઈ દર્શન આપશે રામલલા : અયોધ્યા મંદિર દ્વારા કરાઇ સત્તાવાર જાહેરાત, જાણો ખાસિયત

પ્રાયશ્ચિત પૂજા કોણ કરે છે? 
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કે શુભ કાર્ય કરવા માટે અનુષ્ઠાન કે યજ્ઞ કરવાની પરંપરા છે. કોઈપણ ધાર્મિક વિધિ કે યજ્ઞ કે પૂજામાં ફક્ત યજમાન જ બેસે છે. તેથી જ યજમાનને પ્રાયશ્ચિત પૂજા કરવાની હોય છે. પંડિતો આમાં માત્ર માધ્યમ છે, જેઓ મંત્રોચ્ચાર કરે છે. જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને પ્રાણ પ્રતિષ્ઠા વિધિના મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ