બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાનો મામલો, જનાર્દન સ્વામીએ પોતાના પર લાગેલા આક્ષેપને નકાર્યા
Last Updated: 04:16 PM, 15 May 2024
સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો છે. બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાના આક્ષેપોને સ્વામીએ ફગાવ્યા છે. જનાર્દન સ્વામીએ જણાવ્યું હતું કે બાળક અહીં આવવાની જીદ કરે છે તેનું કારણ તપાસી રહ્વાયા છીએ. જે ક્લીપ વાયરલ થઈ છે તેની તપાસ કરી રહ્યાં છીએ અને નાઈટ ક્રિકેટ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે..રાત્રે વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ રમે છે એના માટે નાઈટ ક્રિકેટ શબ્દનો પ્રયોગ કર્યો છે..વાલીના તામમ પ્રશ્નોની ચર્ચા કરી સમાધાન કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકૂળનાં જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બ્રેઈન વોશ સંસ્થામાં કરતા નથી. કોઈનાં કહેવાથી સાધુ થવાતું નથી. સાધુ બનવાની એક પ્રોસેસ હોય છે. પ્રોસેસમાંથી બાળક પસાર થાય ત્યારે સાધુ બને છે. વાલી જ્યારે બાળકને અમને સોંપે ત્યારે જ અમે સાધુ બનાવી શકીએ. બાળક સોંપે પછી અમે બાળકની પરીક્ષા કરીએ છીએ. ત્યાર બાદ બે વર્ષ પાર્ષદમાં ટ્રેનિગ આપવામાં આવે છે. તેમાંથી પાસ થાય પછી સાધુ બનાવીએ છીએ. બાળક અહીં આવવાની જીદ કરે છે તેનું કારણ તપાસવાની જરૂર છે. અહીંની કેળવણી અને સાચવણી અને ઘર કરતાં વિશેષ જમવાનું આપીએ છીએ. તેમજ દેખરેખ રાખીએ છીએ એટલા માટે બાળક અહીં આવવા પ્રયત્ન કરે છે. સાધુ બનવા માટે નહી. સારૂ શિક્ષણ અને સાચવણી મળે છે. નાઈટ ક્રિકેટ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. રાત્રે વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ રમે છે એના માટે નાઈટ ક્રિકેટ શબ્દનો પ્રયોગ કર્યો છે. ક્લીપની તપાસ કરી રહ્યાં છીએ.ક્લીપ મારી છે કે કોની છે તેની તપાસ કરી રહ્યાં છીએ. વાલીના તામમ પ્રશ્નોની ચર્ચા કરી સમાધાન કર્યું છે.
ગીર ગઢડા તાલુકાના વડલી ગામે રહેતા અશોકભાઈ શિંગાળાનો પુત્ર મોટા સમઢીયાળા ગામે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં ધો. 8 માં અભ્યાસ અર્થે મુકેલ હતો. ત્યારે આ ગુરુકુળમાં આ બાળક પોતે સ્વામીના સંપર્કમાં આવતા ભણવાની જગ્યાએ સ્વામી બનવાની ઈચ્છા ધરાવવા માંડ્યો હતો. કારણ કે અહીંયા રહેતા જનાર્દન સ્વામી નામના સાધુએ સ્વામી બનવાની પ્રેરણા આપતા અને આ નાના વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરવાનું શરુ કર્યું હતું. આ વિદ્યાર્થી ધો.8 થી 10 સુધી ત્રણ વર્ષ અભ્યાસ કર્યો ત્યાં સુધી બાળકે પોતાના ઘરની મોહ માયા મૂકી દીધી હતી અને ગુરુકુળથી પિતા ઘરે લઈ જાય તો બાળક ગુરુકુળ જવાની જીદ પકડતો અને પિતા ગુરુકુળ જવાની ના પાડે તો ખાવા પીવાનું છોડી દઈ અને એક રૂમમાં પુરાઇને રહેતો હતો.
વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકૂળનાં જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બ્રેઈન વોશ સંસ્થામાં કરતા નથી. કોઈનાં કહેવાથી સાધુ થવાતું નથી. સાધુ બનવાની એક પ્રોસેસ હોય છે. પ્રોસેસમાંથી બાળક પસાર થાય ત્યારે સાધુ બને છે. વાલી જ્યારે બાળકને અમને સોંપે ત્યારે જ અમે સાધુ બનાવી શકીએ. બાળક સોંપે પછી અમે બાળકની પરીક્ષા કરીએ છીએ. ત્યાર બાદ બે વર્ષ પાર્ષદમાં ટ્રેનિગ આપવામાં આવે છે. તેમાંથી પાસ થાય પછી સાધુ બનાવીએ છીએ. બાળક અહીં આવવાની જીદ કરે છે તેનું કારણ તપાસવાની જરૂર છે. અહીંની કેળવણી અને સાચવણી અને ઘર કરતાં વિશેષ જમવાનું આપીએ છીએ. તેમજ દેખરેખ રાખીએ છીએ એટલા માટે બાળક અહીં આવવા પ્રયત્ન કરે છે. સાધુ બનવા માટે નહી. સારૂ શિક્ષણ અને સાચવણી મળે છે. નાઈટ ક્રિકેટ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. રાત્રે વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ રમે છે એના માટે નાઈટ ક્રિકેટ શબ્દનો પ્રયોગ કર્યો છે. ક્લીપની તપાસ કરી રહ્યાં છીએ.ક્લીપ મારી છે કે કોની છે તેની તપાસ કરી રહ્યાં છીએ. વાલીના તામમ પ્રશ્નોની ચર્ચા કરી સમાધાન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.