બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar MLA Arjun Modhwadia arrived at Chopati
Dinesh
Last Updated: 10:02 PM, 11 June 2023
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડુ આગામી દિવસોમાં પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાઈ શકે તેવી હવામાન વિભાગની આગાહી સંદર્ભે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ચોપાટીની મુલાકાત લીધી હતી અને દરિયામાં આવેલા કરંટની સ્થિતિ અંગે સમિક્ષા કરી હતી.
અર્જુન મોઢવાડિયાનો સરકાર પર ગંભીર આક્ષેપ
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું કે, વાવાઝોડા સમયે ડિઝાસ્ટરની કામગીરી સરકાર કરે છે પરંતુ તેને અટકાવવા માટેના પગલાં લેવાતા નથી. તેમણે કહ્યું કે, નદી કાંઠા પર ગેરકાયદેસર રેતી ખનન થાય છે તેમજ કાંઠાઓ ધોવાઇ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સુરત, વલસાડ અને નવસારીમાં દરિયા શહેર તરફ પહોંચી ગયો છે અને પોરબંદરમાં પણ સામાન્ય ભરતીમાં પણ ચોપાટીમાં પાણી ઘૂસી જાય છે તેમણે વધુમાં કહ્યું કે, સરકારે કાઠાંઓને મજબૂત કરવા જોઇએ જેથી દરિયાઇ કાંઠા વિસ્તારના લોકોને નુકસાન ન થાય.
પોરબંદરમાં 5 પાર્કિંગ એરિયામાં 4500 જેટલી બોટને લાંગરવામાં આવી
પોરબંદરમાં નેવી, કોસ્ટ ગાર્ડ પોલીસ રેવન્યુ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી તમામ ટીમો સંકલનથી કામ કરી રહી છે તે સંદર્ભે કલેકટરએ જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર કાર્યરત છે. રાહત અને બચાવની કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ, અને એનડીઆરએફની ટીમ પણ ખડેપગે છે ત્યારે તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે. જેમાં 5 પાર્કિંગ એરિયામાં 4500 જેટલી બોટને લાંગરવામાં આવી છે. દરિયા કિનારાના 31 જેટલા ગામોમાં પ્રાથમિક જરૂરિયાત મુજબના અંદાજે 3 હજાર જેટલા પરિવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેઓને પરિસ્થિતિ અનુસાર આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવશે. જિલ્લામાં 297 જેટલા આશ્રય સ્થાનો ઉપરાંત ચાર સાયક્લોન સેન્ટર કાર્યરત છે. કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાની સેવાભાવી સંસ્થાઓનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. આ ઉપરાંત કલેક્ટરએ લોકોને પણ અપીલ કરી હતી કે, લોકોએ ખોટી અફવાઓમાં આવું નહીં, જરૂર જણાયે તાલુકા તથા જિલ્લાના કંટ્રોલરૂમનો સંપર્ક કરવો, જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે.
'કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે'
આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે, પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા તથા ચોપાટી એ કોઈ લોકોએ જવું નહીં, નીચાણવાળા વિસ્તારો સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યારે સ્થળાંતર કરવાનું થાય ત્યારે સહયોગ આપવો. કોઈએ માછીમારી કરવા જવું નહીં, જરૂર જણાયએ 100 નંબર પર જાણ કરવી. પોલીસ તંત્ર સતત લોક સેવામાં કાર્યરત છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir