બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / બિઝનેસ / ભારત / PM Svanidhi Yojna provides no gurantee loan of 50000 rupees in government banks
Vaidehi
Last Updated: 06:14 PM, 20 February 2024
દેશમાં કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી જે હવે ઘણી ચર્ચામાં આવી છે. કારણકે આ યોજના અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની વગર ગેરેંટીએ લોન મળે છે. આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે જે નાના-મોટા રોજગાર સાથે જોડાયેલા છે. જે લોકોનું કોઈ કારણોસર બિઝનેસ નથી ચાલ્યું અથવા તો કોઈ નવો નાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે તેમને સરકાર આ યોજના અંતર્ગત કોઈપણ પુરાવા માંગ્યા વિના લોન આપે છે. આ સ્કીમનું નામ છે PM સ્વનિધિ યોજનાં.
આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી હતી જેમના રોજગાર પર કોરોના મહામારીની ખરાબ અસર થઈ હતી. આ લોકોને મદદ કરવા માટે સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી પણ યોજનાની સફળતાને જોતાં સરકારે યોજનાની લિમિટ વધારી દીધી છે. આ સ્કીમ અંતર્ગત સરકાર રોજગારની શરૂઆત માટે વગર કોઈ ગેરેન્ટી લોન મળી શકે છે.
50 હજાર સુધીની લોન લઈ શકાય છે
કેન્દ્ર સરકાર PM Svanidhi Yojna અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. પણ 50 હજારની લોન લેવા માટે પોતાની ક્રેડિબિલિટી બનાવવી પડે છે. તેથી વ્યક્તિને આ સ્કીમ અંતર્ગત પહેલાં 10 હજારની લોન આપવામાં આવશે. એકવાર એ લોનની ચૂકવણી થઈ જશે એ બાદ બીજી વખત તે ડબલ રૂપિયાની રકમ લોન સ્વરૂપે લઈ જશે.
કેવી રીતે મળશે લોન?
હાથલારી ચલાવનારા લોકોને આ લોન સરળતાથી મળી શકશે. માની લો કે કોઈ જગ્યાએ વ્યક્તિએ ચાટની દુકાન લગાડવી છે. તે માટે સ્વનિધિ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયાની લોન મળશે. જો તેણે આ લોનની રકમ સમયસર ચૂકવી દીધી છે તો એ વ્યક્તિ બીજીવાર આ સ્કીમ અંતર્ગત 20 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. આ રીતે ત્રીજી વખતમાં તે 50000 રૂપિયાની લોન લેવા માટે યોગ્યતા પ્રાપ્ત કરશે. ખાસ વાત તો એ છે કે આ લોન પર સરકાર સબસિડી પણ આપે છે.
માત્ર આધારકાર્ડ બતાવીને લઈ શકો છો લોન
આ સ્કીમ અંતર્ગત લોન લેવા માટે કોઈપણ પ્રકારનાં પુરાવાની જરૂર નથી પડતી. અરજી મંજૂર કરવા માટે લોનની રકમ ત્રણ વારમાં તમારા એકાઉન્ટમાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે. લારી ચલાવતાં લોકો માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું છે. કોઈપણ સરકારી બેંકમાં માત્ર આધારકાર્ડનાં આધારે આ લોન માટે અરજી કરી શકાય છે.
વધુ વાંચો:
લોનની રકમ એક વર્ષનાં સમયગાળામાં ચૂકવી શકાય છે. દર મહિને હફ્તામાં લોનની રકમ ચૂકવી શકાય છે. PM સ્વનિધી યોજનાનો લાભ મળેવવા માટે અરજદાર પાસે આધારકાર્ડ હોવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir