બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / PM Svanidhi Yojna provides no gurantee loan of 50000 rupees in government banks

PM સ્વનિધિ યોજના / આધાર કાર્ડ આપો અને 50 હજાર તમારા, મોદી સરકારની આ યોજનામાં વગર ગેરંટીએ મળે છે રૂપિયા

Vaidehi

Last Updated: 06:14 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ સરકારી બેંકમાં જઈને આધારકાર્ડ બતાવીને 50 હજારની લોન મેળવવા માટે અરજી કરી શકાય છે. જાણો શું છે PM સ્વનિધિ યોજના..

  • કોરોના સંકટ વચ્ચે સરકાર લાવી હતી નો ગેરન્ટી સ્કીમ
  • 50 હજાર સુધીની લોન કોઈપણ વ્યક્તિ મેળવી શકે છે
  • આધારકાર્ડનાં આધારે સરળતાથી લોન માટે અરજી કરી શકાય છે

દેશમાં કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી જે હવે ઘણી ચર્ચામાં આવી છે. કારણકે આ યોજના અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની વગર ગેરેંટીએ લોન મળે છે. આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે જે નાના-મોટા રોજગાર સાથે જોડાયેલા છે. જે લોકોનું કોઈ કારણોસર બિઝનેસ નથી ચાલ્યું અથવા તો કોઈ નવો નાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે તેમને સરકાર આ યોજના અંતર્ગત કોઈપણ પુરાવા માંગ્યા વિના લોન આપે છે. આ સ્કીમનું નામ છે PM સ્વનિધિ યોજનાં.

આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી હતી જેમના રોજગાર પર કોરોના મહામારીની ખરાબ અસર થઈ હતી. આ લોકોને મદદ કરવા માટે સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી પણ યોજનાની સફળતાને જોતાં સરકારે યોજનાની લિમિટ વધારી દીધી છે. આ સ્કીમ અંતર્ગત સરકાર રોજગારની શરૂઆત માટે વગર કોઈ ગેરેન્ટી લોન મળી શકે છે.

50 હજાર સુધીની લોન લઈ શકાય છે
કેન્દ્ર સરકાર PM Svanidhi Yojna અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. પણ 50 હજારની લોન લેવા માટે પોતાની ક્રેડિબિલિટી બનાવવી પડે છે. તેથી વ્યક્તિને આ સ્કીમ અંતર્ગત પહેલાં 10 હજારની લોન આપવામાં આવશે. એકવાર એ લોનની ચૂકવણી થઈ જશે એ બાદ બીજી વખત તે ડબલ રૂપિયાની રકમ લોન સ્વરૂપે લઈ જશે.

કેવી રીતે મળશે લોન?
હાથલારી ચલાવનારા લોકોને આ લોન સરળતાથી મળી શકશે. માની લો કે કોઈ જગ્યાએ વ્યક્તિએ ચાટની દુકાન લગાડવી છે. તે માટે સ્વનિધિ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયાની લોન મળશે. જો તેણે આ લોનની રકમ સમયસર ચૂકવી દીધી છે તો એ વ્યક્તિ બીજીવાર આ સ્કીમ અંતર્ગત 20 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. આ રીતે ત્રીજી વખતમાં તે 50000 રૂપિયાની લોન લેવા માટે યોગ્યતા પ્રાપ્ત કરશે. ખાસ વાત તો એ છે કે આ લોન પર સરકાર સબસિડી પણ આપે છે.

માત્ર આધારકાર્ડ બતાવીને લઈ શકો છો લોન
આ સ્કીમ અંતર્ગત લોન લેવા માટે કોઈપણ પ્રકારનાં પુરાવાની જરૂર નથી પડતી. અરજી મંજૂર કરવા માટે લોનની રકમ ત્રણ વારમાં તમારા એકાઉન્ટમાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે. લારી ચલાવતાં લોકો માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું છે. કોઈપણ સરકારી બેંકમાં માત્ર આધારકાર્ડનાં આધારે આ લોન માટે અરજી કરી શકાય છે.

વધુ વાંચો:

લોનની રકમ એક વર્ષનાં સમયગાળામાં ચૂકવી શકાય છે. દર મહિને હફ્તામાં લોનની રકમ ચૂકવી શકાય છે. PM સ્વનિધી યોજનાનો લાભ મળેવવા માટે અરજદાર પાસે આધારકાર્ડ હોવું જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ